રાજ્ય સરકાર મગ અને અડદ ટેકાના ભાવે ખરીદશે છતાં ખેડૂતો મૂંઝવણમાં

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કર્યા બાદ મગ અને અડદની ખરીદી ટેકાના ભાવે કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં આજથી ગુજરાતના ખેડૂતો મગ અને અડદની ઓનલાઇન નોંધણી કરાવી શકશે. 34 APMC પરથી મગ અને 58 APMC પરથી અડદની ખરીદી કરવામાં આવશે. ઓનલાઇન નોંધણીની ખરીદીનો 10મી ડિસેમ્બરના રોજ પ્રારંભ કરવામાં આવશે. મગ અને અડદની ઓનલાઇન નોંધણી માટે ખેડૂતોએ 7-12નો ઉતારો, આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતો આપવાની રહેશે. મગ અને અડદની ખરીદી કર્યા પછી તેના નાણા સરકાર દ્વારા સીધા ખેડૂતોના બેંક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

આ બાબતે ખેડૂતોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકાર ટેકાના ભાવે મગ અને અડદની ખરીદી કરી રહી છે એ ખૂબ જ સારી વાત છે પણ સરકાર જે સિસ્ટમથી ખરીદી કરી રહી છે એ સિસ્ટમ ખોટી છે. ખેડૂત 15 એકરમાં મગનું વાવેતર કરે અને આ 15 એકરમાં 90 ક્વિન્ટલ મગનું ઉત્પાદન થાય છે પણ સરકારની સિસ્ટમ અનુસાર 15 એકરની સામે 5 ક્વિન્ટલ કે 10 ક્વિન્ટલ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તો બાકીના મગ ખેડૂત કોને આપે? સરકારની આ ખરીદી પછી વેપારીઓ ગમે તેવા ભાવે ખેડૂતો પાસે મગ માગે છે. આ કારણે સરકાર દ્વારા ખેડૂતના બધા મગ ટેકાના ભાવે ખરીદવા જોઈએ. આ ઉપરાંત સરકારની આ સિસ્ટમના કારણે ખેડૂતોને પોતાનો પાક વેચવા માટે 2-3 દિવસ લાઇનમાં ઉભું રહેવું પડે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.