ગુજરાતીઓ પાઈપમાં ધાબા પર ઉછેરીને શાકભાજી ખાઇ રહ્યા છે

હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીની માટી વગરની ખેતીમાં સામાન્ય ખેતીની સરખામણીએ 90 ટકા પાણી ઓછું જોઈએ છે. પાણીના આધારે છોડને પોષક તત્ત્વ મળે છે. રૂ. 999થી એક એકરમાં લગાવવાનો ખર્ચ રૂ.50 લાખ થાય છે. ઘરમાં 80 ચોરસ ફૂટમાં આ ટેક્નોલોજી લગાવવાનો ખર્ચ રૂ. 40,000 થાય છે. તેમાં 160 છોડ લગાવી શકાય છે.

છોડને જરૂરી પોષક તત્વો પાણીના આધારે સીધા મૂળ સુધી પહોંચાડી શકાય છે. છોડ એક મલ્ટી લેયર ફ્રેમના સહારે રાખવામાં આવલાં પાઈપમાં ઉગે છે. તેના મૂળીયા પાઈપની અંદર પોષક તત્વોથી ભરેલા પાણીમાં હોય છે. છત ઉપર ખેતી કરવામાં ભાર કે છતમાં કોઈ ફેરફાર પણ નથી. જમીન જોઈતી નથી.

ગ્લોબલ હાઈડ્રોપોનિક્સ માર્કેટ 2016માં રૂ. 45,000 કરોડનું હતું. 2025માં તે 78,500 કરોડ સુધી જઈ શકે છે. ઓછા જંતુનાશકો, ઓછું પાણી, ઓછી જગ્યા, ઈકો-ફ્રેન્ડલી આ પદ્ધતિ છે. પાણીની ટાંકી બનાવીને જે પણ ઉત્પાદન લેવાનું છે તેનાથી સંબંધિત ખાતર-દવા વગેરે પાણીમાં ભળી જાય છે. તે પછી પ્લાસ્ટિક પાઈપો હોય છે.

એક લાખ રૂપિયાના ખર્ચથી તમે ઘરે બેસીને 2 લાખ રૂપિયાની આવક મેળવી શકો છો.

તૈયાર ફ્રેમ અને ટાવર ગાર્ડન કે શાકભાજીના 400 છોડ વાળા 10 ટાવરની કિંમત અંદજે રૂ.1 લાખની આસપાસ થાય છે. આ કિંમતમાં ટાવર, સિસ્ટમ અને જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે. આ 10 ટાવર ધાબા કે છત ઉપર 150 થી 200 સ્કવેર ફૂટમાં સરળતાથી આવી જાય છે. આવા 10 ટાવરથી 2000 કિલો વાર્ષિક ઉત્પાદન મળી જાય છે.  આ ટેકનીકથી ઉત્પાદન 3 થી 5 ગણું વધી જાય છે. આ ટેકનીકમાં પ્રારંભિક ખર્ચ વાધું આવે છે પરંતુ પછી  ખર્ચ ઘટતા નફો વધી જાય છે.

પાંદડાવાળી શાકભાજીઓ,લસણ,ટામેટા, પાલક, કોબીજ, કોથમીર,કાકડી જેવા વેલા, છોડ, જેવા અનેક છોડ કે વેલા ઉછેરી શકાય છે. ભારતમાં જે રીતે 50 લાખ ખેડૂતો ઝીરો બજેટ ખેતી કરી રહ્યાં છે તે રીતે હવે હાઈડ્રોપોનીક્સ ખેતી શહેરોમાં વધી રહી છે. 5 ડિસેમ્બર 2019માં વૈજ્ઞાનિકોએ ટામેટા, સલાડ,લીલુ સલણ,સ્ટ્રોબેરી, અનેક જાતના ફુલોની ઉપજ અને કાકડીનું હાઈડ્રોપોનિક્સ સિસ્ટમથી છત્તીસગઢમાં બતાવ્યું છે.

ખેડૂતો વધ્યા જમીન ઘટી

2001-02માં 1.06 કરોડ, 2005-06માં 1.02 કરોડ હેક્ટર, 2010-11માં 98.98 લાખ હેક્ટર, 2017-18માં 94 લાખ હેકટર અને 2025 સુધીમાં ઘટીને 86 લાખ હેકટર ખેતીની જમીન થવાની ધારણા છે. જમીન ઉદ્યોગ, બિનખેતી, નકામી બની છે અથવા પડતર બની છે. આમ 15 લાખ હેક્ટર ખેતીની જમીન ભાજપના લાંબા શાસનમાં ઘટી છે. ભાજપ સરકારે ખેતીની જમીન આંચકી લેવાનો કાયદો લાગુ પાડ્યો છે તેનાથી ખેતીની જમીન વધારે ઓછી થઈ રહી છે.

ઘટેલી જમીન પર જો કેળાની ખેતી કરવામાં આવી હોય તો માથા દીઠ ગુજરાતના તમામ લોકોને 3 કિલો કેળા રોજ આપી શકાયા હોત. 

ખરાબ સ્થિતિ

વિશ્વની 20 ટકા વસ્તી ધરાવતા ભારતમાં વિશ્વની કુલ ખેતીલાયક જમીનમાંથી ફક્ત 7 ટકા જમીન જ છે. દેશની સરખામણીએ ગુજરાતમાં 5 ટકા છે. 1970થી શહેરીકરણને પગલે દેશમાં ખેતીલાયક જમીન સતત ઘટી રહી છે. પરિવારદીઠ સરેરાશ જમીનની માલિકી 2015-16માં 1.1 હેક્ટર હતી. ત્રણ વર્ષ અગાઉ 1.6 હેક્ટર હતી. ભારતમાં ત્રીજા ભાગના ખેડૂતો પાસે એક હેક્ટર કરતાં પણ નાનાં ખેતર છે. 60 ટકા ખેડૂતો અડધો હેક્ટર કરતાં પણ નાનાં ખેતર ધરાવે છે. ફક્ત 13 ટકા પરિવારો પાસે બે હેક્ટર કરતાં વધુ જમીન છે.

 

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.