ગુજરાતના આ જિલ્લામાં ખેતરમાં ઇયળો ફરી વળવાને કારણે ખેડૂતોને લાખોનું નુકશાન

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કમોસમી વરસાદને કારણે જગતના તાત ખેડુતોની હાલત કફોડી થયેલી જ હતી તેમાં વરસાદ પછી ખેતરોમાં ઇયળો ફરી વળવાને કારણે આખા ખેતરો સાફ થઇ ગયા છે અને લાખો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. ખેડુતોનું કહેવું છે કે એટલું મોટું નુકશાન થઇ રહ્યું છે કે અમારે ગળે ટુપોં ખાવાની નોબત આવી ગઇ છે. ખેડુતોએ વિનંતી કરી છે સરકાર અમારી સમસ્યા પર ધ્યાન આપે અને દવાનો છંટકાવ કરે. ઇંયળોને કારણે સૌથી વધારે માર બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને થઇ રહ્યું છે. ઇયળને કારણે ખેડુતોના બાજરી, એરંડા જેવા અનેક પાકોને નુકશાન થઇ રહ્યું છે.

બનાસકાંઠાના મોટાભાગના લોકો ખેતી અને પુશપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેડુતો દર વર્ષે કોઇકને કોઇક આફતોનો સામનો કરી રહ્યા છે. બેમાં વર્ષે તીડના ત્રાસને કારણે ખેડુતો પરેશાન થઇ ગયા હતા આ વખતે ઇયળને કારણે ખેતરમાં આખો ઉભો પાક નાશ થઇ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ, નાનોટા ગામ સહિત આજુબાજુના અનેક ગામોમાં ભરઉનાળે માવઠાને કારણે ખેતરોમાં અચાનક  ઇયળનો ઉપદ્રવ વધી ગયો છે. ખેડુતોનું કહેવું છે કે ઇયળોને કારણે એરંડા, તમાકુ, બાજરીનો પાક નાશ થઇ ગયો છે.

બનાસકાંઠાના ખેડુતોએ કહ્યું કે વર્ષ 2021માં તીડનો ઉપદ્રવ વધી ગયો હતો તેને કારણે જીરૂ, મગફળી, બટાટાના પાકને મોટું નુકશાન અમે ભોગવ્યું હતું. હવે કમોસમી વરસાદમાં તો નુકશાન થયું છે પરંતુ ઇયળો અમારા ખેતરોમાં ફરી વળી છે અને આખે આખા ખેતરને બરબાદ કરી રહી છે.

બનાસકાંઠાના એક મહિલા ખેડુતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ ઇયળોએ એટલો ત્રાસ વર્તાવ્યો છે કે આખે આખા ખેતરો સાફ કરી નાંખ્યા છે. બાજરી અને પશુનો ઘાસચારો પણ સાફ કરી નાંખ્યો છે. ઘરમાં લોટ બનાવીએ તો એમાં પણ ઇયળો ચઢી જાય છે, બાળકોના શરીર પર પણ ઇયળો ફરવા માંડે છે. અમે ઇયળોના ઉપદ્રવથી પરેશાન થઇ ગયા છે. એરંડામાં પણ જીવાતો ઘુસી ગઇ છે. અમારે અત્યારે ખાવા ખાવાના ફાંફા પડી રહ્યા છે.

ખેડુતોની સરકારને માંગણી છે કે ખેતરોમાં તાત્કાલિક દવાનો છંટકાવ કરે તો અમને આ મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે. કમસોમી વરસાદને કારણે અમને પહેલેથી જ મોટું નુકશાન થયેલું છે તેમાં ઇયળને કારણે અમને લાખો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.