ટામેટાના ભાવ 250થી 10 રૂપિયા પર આવી ગયા, હવે ખેડૂતો રસ્તા પર ફેંકી રહ્યા છે

જૂન મહિનામાં આસમાન પર પહોંચેલા ટામેટાના ભાવ હવે ઉંધા માથે પટકાઇને ફરી ઓરિજનલ ભાવ પર આવી ગયા છે. કેટલાંક શહેરોમાં ટામેટા હવે 10 થી 15 રૂપિયે કિલો વેચાવવાના શરૂ થઇ ગયા છે. પરંતુ નવાઇની વાત એ છે કે ટામેટાના ભાવો હવે તળિયે આવી ગયા તો ખેડુતો તેમનો પાક રસ્તા પર ફેંકી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમને લાગત પણ છુટતી નથી. ટામેટાની આ તસ્વીર આંધ્રપ્રદેશના કુરનુલની છે, જ્યાં ખેડુતો ટામેટાના રસ્તા પર વેરી રહ્યા છે.

જૂન મહિનામાં ટામેટાના ભાવો રોકેટ ગતિએ ઉછળી ગયા હતા અને લગભગ 200થી 250 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા હતા. ટામેટા એવું શાકભાજી છે જ દરેકના ઘરોમાં ઉપયોગમાં આવે છે. ટામનેટા આસમાની ભાવોને કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. કેન્દ્ર સરકારે સસ્તા ટામેટાં વેચ્યા હતા અને 70 રૂપિયે કિલો ટામેટા લેવા માટે પણ પડાપડી થતી હતી. પરંતુ ધીમે ધીમે ટામેટાના ઉંચોE ભાવનો ફુગ્ગો ફુટી ગયો અને ભાવ હવે તળિયે આવી ગયા છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે ટામેટાના અત્યારે દિલ્હીમાં ભાવ 20થી 30 ચાલે છે, ચંદીગઢમાં 30થી 40, રાયપુરમાં 10-15,જયપુરમાં 20-30, ભોપાલમાં 15-20, બેંગલુરુમાં 20-30 રૂપિયા કિલો દીઠ ભાવ ચાલે છે.

હવે ખેડુતોનું કહેવું છે કે જ્યારે રિટેલ માર્કેટમાં જ 15-20 રૂપિયાનો ભાવ આવી ગયો છે ત્યારે તેમને હોલસેલ માર્કેટમાં માત્ર 4થી 5 રૂપિયા જ મળી રહ્યા છે, જેમાં તેમની મજૂરી, ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ કાઢવો ભારે પડે છે એટલે તેઓ ટામેટાને રસ્તા પર ફેંકી રહ્યા છે.

ખેડુતોની માંગ છે કે સરકાર ટામેટાની નિકાસ વધારે. ભારત જો બાંગ્લાદેશ, નેપાળ, યુએઇ, કતર, સાઉદી અરબ અને ઓમાન જેવા દેશોમાં ટામેટાની નિકાસ શરૂ કરે તો ખેડુતોને સારા ભાવ મળવાની અપેક્ષા છે.

હવે એ જોઇએ કે ટામેટાના ભાવો નીચા કેમ આવ્યા. તો એક કારણ એવું છે કે અત્યારે દેશમાં પૂરની સ્થિતિ નથી, મતલબ કે શાકભાજીઓને નુકશાન થતું નથી. બીજું કારણ એ છે કે ટામેટાનો નવો પાક આવ્યો છે અને તે સારો ઉતર્યો છે મતલબ કે ટામેટાની આવક વધી છે. ત્રીજું કારણ એ છે સરકારે ટામેટાના ભાવો નીચા લાવવા માટે નેપાળથી ટામેટા આયાત કરવાનું શરૂ કરી દીધું હતું. આ બધા કારણોને લીધે ટામેટાના ભાવ નીચા આવી ગયા છે.

જો કે કેટલાંક લોકોનું કહેવું છે કે જ્યારે ટામેટાના ભાવો ઉંચાઇને આંબ્યા હતા ત્યારે ઘણા ખેડુતો લખોપતિ કે કરોડપતિ બની ગયા હતા તો હવે નીચા ભાવે વેચવામાં શું વાંધો છે. રસ્તા પર ફેંકી દેવાને બદલે લોકો પાસે જાય તો શું વાંધો છે?

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.