સાપના ડંખથી મોત થઈ તો પરિવારને 4 લાખ આપશે આ રાજ્ય સરકાર

ખેતી કરતા સમયે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. સાપનો ડંખ પણ તેમાંથી એક છે. ખેતરમાં કામ કરતા સમયે ઘણીવાર ખેડૂતોએ સાપના ડંખને કારણે પોતાનો જીવ ગુમાવવો પડે છે. આવી સ્થિતિમાં ભાજપા શાસિત એક રાજ્ય સરકાર સાપના કરડવાથી મોત થવા પર 4 લાખ રૂપિયા વળતર તરીકે આપી રહી છે. સાપના ડંખને રાષ્ટ્રીય આપદામાં પણ સામેલ કરવામાં આવ્યો છે.

આટલા વર્ષોમાં સાપના ડંખથી આટલી મોત

સાપના ડંખથી 97 ટકા મોતો ગામોમાં થઇ છે. સાપોના કરડવાથી પુરુષોની મોત મહિલાઓ કરતા વધારે છે. તેનું એક કારણ પુરુષ ખેડૂતોનું ખેતરોમાં કામ કરવાનું પણ છે. 2020-21માં 27 મોતો, 2021-22માં 85 મોતો અને 2022-23માં 65 મોતો થઇ છે. તો વળી 2023-24ની શરૂઆતમાં તો 34 મોતો થઇ ચૂકી છે. ઉત્તર પ્રદેશની સરકારે ખેડૂતોને આ વળતર આપવાની જાહેરાત કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ જરૂરી

લખનૌના સીએમઓ મનોજ અગ્રવાલ અનુસાર, વળતર લેવા માટે પીડિતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સૌથી જરૂરી છે. તેના આધારે જ પીડિત પરિવારને મદદના રૂપિયા મળે છે. એવામાં જો સાપના કરડવાથી કોઈનું નિધન થાય તો ત્યાર પછી તરત પીડિતના પરિવારે તેમનું પોસ્ટમોર્ટમ કરાવવાનું રહેશે.

વળતર માટે આ પ્રક્રિયા કરવાની રહેશે

વળતરની રકમ મેળવવા માટે પરિવારે માત્ર બે કામ કરવાના હોય છે. ત્યાર પછીની કાર્યવાહી તંત્ર કરે છે. પહેલું કામ એ કે, જો કોઇનું મોત સાપના ડંખથી થાય છે તો તેનો પરિવાર તરત લેખપાલને આની જાણકારી આપે. ત્યાર પછી પીડિતને પોસ્ટમોર્ટમ માટે લઇ જાય અને તેનો રિપોર્ટ જેમાં સાપના ડંખની મોત થયું છે તેની પુષ્ટિ થઇ હોય એ લેખપાલને આપી દે. ત્યાર પછીની પ્રક્રિયાના લેખપાલ, કલેક્ટર અને એડીએમ રિપોર્ટ જિલ્લાધિકારીને આપે છે.

વિપદા રાહત કોષમાંથી વળતરની રકમ અપાશે

જિલ્લાધિકારીને રિપોર્ટ સોંપ્યા પછી લેખપાલ પીડિતના પરિવારનો ખાતા નંબર, આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો ભેગા કરશે. ત્યાર પછી એસડીએમ પાસેથી મંજૂરી મેળવ્યા પછી એડીએમ ફાયનાન્સ પાસે જાય છે અને જિલ્લાના રાહત કોષમાંથી પૈસા તરત પીડિત પરિવારના ખાતામાં મોકલી દેવામાં આવે છે. પીડિત પરિવારના ખાતામાં 4 લાખ રૂપિયા વળતર તરીકે મોકલી દેવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.