સોમનાથ દાદાના દર્શન કરી મુકેશ અંબાણીએ મંદિરને આટલા રૂપિયા દાન આપ્યું

મહાશિવરાત્રીના પાવન પર્વે દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમનો દીકરો આકાશ અંબાણી ગુજરાત સોમનાથ દાદાના દર્શને આવ્યા હતા. તેમણે મંદિરમાં જ્યોતિર્લિંગનો રુદ્રાભિષેક પણ કર્યો હતો. આટલું જ નહીં મંદિરમાં પૂજા કર્યા બાદ મુકેશ અંબાણીએ સોમનાથ મંદિર ટ્રસ્ટને 1.51 કરોડનું દાન પણ આપ્યું હતું.

શિવરાત્રિના પાવન પર્વ પર મુકેશ અંબાણી સોમનાથ દર્શન માટે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીનાઆગમન પહેલા જ મંદિરના પરિસરમાં એક ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.

દેશ અને વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શિવરાત્રીના તહેવાર પર ગીર સોમનાથની મુલાકાત લીધી હતી જ્યાં મહાદેવજીના દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા. અંબાણી પરિવારના સભ્યો અવાર નવાર સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા હોય છે.

આજે શિવરાત્રિ હોવાથી વિશેષરુપે સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો દેશના વિવિધ ખૂણેથી દર્શન માટે પહોંચી રહ્યા છે. સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રુપાણી સોમનાથ દાદાના દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારે બપોરે શનિવારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સોમનાથ દર્શન માટે પ પહોંચ્યા હતા. મુકેશ અંબાણી શિવરાત્રીના પ્રસંગે સોમનાથ મહાદેવના વિશેષ દર્શન અને ઉપાસના માટે આવતા હોય છે. ગત વખતે પણ તેઓ સોમનાથ આવ્યા હતા. તેમનો પુત્ર આકાશ અંબાણી પણ તેની સાથે દાદાના દર્શન માટે આવ્યો હતો.

આજે સાંજે સોમનાથ ખાતે બિલ્વપૂજામાં પણ મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લીધો હતો. ખાસ કરીને આજના દિવસે વિશેષ મહત્વ ભગવાન મહાદેવનું હોય છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજે સોમનાથમાં યોજાઈ રહ્યા છે. શિવરાત્રી તહેવારને ધ્યાનમાં રાખી વિવિધ કાર્યક્રમો થશે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.