આ વર્ષે જુલાઈમાં આવી રહ્યું છે શનિ પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે કરવી શિવ પૂજા

દર મહિને બે પ્રદોષ વ્રત આવે છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. સોમવારે પડતા પ્રદોષ વ્રત માટે સોમ પ્રદોષ વ્રત, મંગળવારે પડતા પ્રદોષ વ્રત માટે ભૌમ પ્રદોષ વ્રત, બુધવારે પડતા પ્રદોષ વ્રત માટે બુધ પ્રદોષ વ્રત અને તેવી જ રીતે શનિવારે પડતા પ્રદોષ વ્રત માટે શનિ પ્રદોષ વ્રત હોય છે. આ વર્ષે માત્ર એક જ શનિ પ્રદોષ વ્રત આવી રહ્યું છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે શિવની પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અહીં જાણો અષાઢ માસનું પ્રદોષ વ્રત ક્યારે છે.

શનિ પ્રદોષ વ્રતની તિથિ

પંચાંગ અનુસાર અષાઢ માસમાં શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત મનાવવામાં આવશે. આ તારીખ 1લી જુલાઈના રોજ આવી રહી છે. અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 1લી જુલાઈ, શનિવારના રોજ સવારે 1.16 થી 11.7 વાગ્યા સુધી રહેશે. આ કારણે શનિ પ્રદોષ વ્રત 1લી જુલાઈના રોજ જ મનાવવામાં આવશે.

આ દિવસે વિશેષ યોગ પણ બની રહ્યો છે. પ્રથમ શુભ યોગ સવારથી 10.44 મિનિટ સુધી રહેશે. આ પછી શુક્લ યોગ બનશે જે બીજા દિવસ સુધી રહેશે. રવિ યોગ પ્રદોષ વ્રતના દિવસે બપોરે 3:04 થી 2 જુલાઈની સવારે 5:27 સુધી રહેશે.

શનિ પ્રદોષ વ્રતની પૂજા માટેનો શુભ સમય

પ્રદોષ વ્રતના દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાંજે પ્રદોષ વ્રતની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ કારણે 1લી જુલાઈના રોજ સાંજે 7.23 થી 9.24 સુધી શુભ સમય રહેશે. આ ઉપરાંત સાંજે 7.23 થી રાત્રે 8.39 સુધી લાભ-પ્રગતિ મુહૂર્ત છે. આ મુહૂર્તમાં પૂજા કરવી પણ ખૂબ જ શુભ હોઈ શકે છે.

આ સિવાય શનિ પ્રદોષ વ્રતના દિવસે શિવવાસ છે. શિવવાસ ભક્તો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવવાસ 1 જુલાઈની સવારથી શરૂ થશે અને રાત્રે 11.07 વાગ્યા સુધી ચાલશે.

ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી

પ્રદોષ વ્રતની સાંજે શિવની પૂજા કરવામાં આવે છે, પરંતુ સવારે સ્નાન કર્યા બાદ ભક્તો શિવના દર્શન કરવા શિવ મંદિરમાં જાય છે. ઘણા ભક્તો સવારે પણ ઘરે શિવ પૂજા કરે છે. સાંજની પૂજામાં ભોળાનાથની સામે બીલીપત્ર, ધતુરા, ફળ, ફૂલ અને ભોગ વગેરે ચઢાવવામાં આવે છે. આ પછી શિવ આરતી અને મંત્રોના જાપ સાથે શિવ પૂજા સમાપ્ત થાય છે.

About The Author

Related Posts

Top News

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.