આ વર્ષે જુલાઈમાં આવી રહ્યું છે શનિ પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે કરવી શિવ પૂજા

દર મહિને બે પ્રદોષ વ્રત આવે છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. સોમવારે પડતા પ્રદોષ વ્રત માટે સોમ પ્રદોષ વ્રત, મંગળવારે પડતા પ્રદોષ વ્રત માટે ભૌમ પ્રદોષ વ્રત, બુધવારે પડતા પ્રદોષ વ્રત માટે બુધ પ્રદોષ વ્રત અને તેવી જ રીતે શનિવારે પડતા પ્રદોષ વ્રત માટે શનિ પ્રદોષ વ્રત હોય છે. આ વર્ષે માત્ર એક જ શનિ પ્રદોષ વ્રત આવી રહ્યું છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે શિવની પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અહીં જાણો અષાઢ માસનું પ્રદોષ વ્રત ક્યારે છે.

શનિ પ્રદોષ વ્રતની તિથિ

પંચાંગ અનુસાર અષાઢ માસમાં શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત મનાવવામાં આવશે. આ તારીખ 1લી જુલાઈના રોજ આવી રહી છે. અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 1લી જુલાઈ, શનિવારના રોજ સવારે 1.16 થી 11.7 વાગ્યા સુધી રહેશે. આ કારણે શનિ પ્રદોષ વ્રત 1લી જુલાઈના રોજ જ મનાવવામાં આવશે.

આ દિવસે વિશેષ યોગ પણ બની રહ્યો છે. પ્રથમ શુભ યોગ સવારથી 10.44 મિનિટ સુધી રહેશે. આ પછી શુક્લ યોગ બનશે જે બીજા દિવસ સુધી રહેશે. રવિ યોગ પ્રદોષ વ્રતના દિવસે બપોરે 3:04 થી 2 જુલાઈની સવારે 5:27 સુધી રહેશે.

શનિ પ્રદોષ વ્રતની પૂજા માટેનો શુભ સમય

પ્રદોષ વ્રતના દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાંજે પ્રદોષ વ્રતની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ કારણે 1લી જુલાઈના રોજ સાંજે 7.23 થી 9.24 સુધી શુભ સમય રહેશે. આ ઉપરાંત સાંજે 7.23 થી રાત્રે 8.39 સુધી લાભ-પ્રગતિ મુહૂર્ત છે. આ મુહૂર્તમાં પૂજા કરવી પણ ખૂબ જ શુભ હોઈ શકે છે.

આ સિવાય શનિ પ્રદોષ વ્રતના દિવસે શિવવાસ છે. શિવવાસ ભક્તો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવવાસ 1 જુલાઈની સવારથી શરૂ થશે અને રાત્રે 11.07 વાગ્યા સુધી ચાલશે.

ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી

પ્રદોષ વ્રતની સાંજે શિવની પૂજા કરવામાં આવે છે, પરંતુ સવારે સ્નાન કર્યા બાદ ભક્તો શિવના દર્શન કરવા શિવ મંદિરમાં જાય છે. ઘણા ભક્તો સવારે પણ ઘરે શિવ પૂજા કરે છે. સાંજની પૂજામાં ભોળાનાથની સામે બીલીપત્ર, ધતુરા, ફળ, ફૂલ અને ભોગ વગેરે ચઢાવવામાં આવે છે. આ પછી શિવ આરતી અને મંત્રોના જાપ સાથે શિવ પૂજા સમાપ્ત થાય છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.