પોતાના જ શેર ખરીદવાના આરોપ પર અદાણી કંપનીએ જાણો શું કહ્યું

અદાણી ગ્રુપ પર લાગેલા ગંભીર આરોપો બાદ અદાણી ગ્રુપ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કંપનીએ તેમના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. કંપનીએ પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, વિદેશી મીડિયાના એક વિભાગ દ્વારા સમર્થિત અને સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા હિતો દ્વારા તથ્ય વિહીન હિંડનબર્ગ રિપોર્ટની ફરી એ જ બાબતોને લઇ ફરી દોહરાવાયેલા આરોપોને અમે સ્પષ્ટપણે નકારીએ છીએ. આ સમાચાર અહેવાલો અમોને નીચા પાડવાનો વધુ એક સંયુક્ત પ્રયાસ હોવાનું જણાય છે. હકીકતમાં ગયા અઠવાડિયે મીડિયા દ્વારા આવા અહેવાલો વહેતા કરવામાં આવ્યા હતા જે આ અપેક્ષિત હતા.

અદાણી કંપનીએ કહ્યું હતું કે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ઓવર ઈન્વોઈસિંગ, વિદેશમાં ફંડ ટ્રાન્સફર, સંબંધિત પક્ષકારોના વ્યવહારો અને FPIs દ્વારા રોકાણના આરોપોની તપાસ કરી હતી એ તપાસના અંતે એક સ્વતંત્ર નિર્ણાયક સત્તા અને એપેલેટ ટ્રિબ્યુનલ બંનેએ પુષ્ટિ કરી હતી કે કોઈ ઓવર-વેલ્યુએશન થયેલું નથી અને આ વ્યવહારો અમલમાં રહેલા કાયદા અનુસાર હતા.આ બધા દાવાઓ એક દાયકા પહેલા બંધ થયેલા કેસ પર આધારિત છે. આ બાબત માર્ચ 2023મા અંતિમ તબક્કે પહોંચી હતી ત્યારે ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે અમારી તરફેણમાં સ્પષ્ટપણે ચુકાદો આપી કોઈ ઓવર-વેલ્યુએશન થયું ન હોવાથી ભંડોળના ટ્રાન્સફર સંબંધી સદરહુ આરોપોની કોઈ સુસંગતતા કે આધાર નથી.

કંપનીએ જણાવ્યું કે, અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ ફોરેન પોર્ટફોલિઓ ઇન્વેસ્ટમેન્ટ(FPIs) પહેલેથી જ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ની તપાસનો ભાગ છે. નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત થયેલી નિષ્ણાત સમિતિના નોંધ્યા મુજબ લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) ની આવશ્યકતાઓનો ભંગ અથવા શેરના ભાવમાં હેરફેરનો કોઈ પુરાવો મળ્યો નથી. અમે આ પ્રકાશનોએ મોકલેલા સવાલોના અમે આપેલા જવાબોને તેમણે સંપૂર્ણ પ્રકાશિત કર્યા નથી એ કમનશીબ છે.

કંપનીએ કહ્યું કે, આ પ્રયાસોનો ઇરાદો અન્ય બાબતોની સાથે અમારા સમૂહના શેરના ભાવમાં ઘટાડો કરીને ફક્ત નફો કમાઇ લેવાનો છે અને આ શોર્ટ સેલર્સની પણ વિવિધ સત્તાવાળાઓ દ્વારા તપાસ ચાલી રહી છે.જ્યારે દેશની નામદાર સર્વોચ્ચ અદાલત અને સેબી આ બાબતોની દેખરેખ રાખવામાં આવી રહી છે, તેથી હાલ ચાલી રહેલી નિયમનકારી પ્રક્રિયાને માન આપવું આવશ્યક છે.

અદાણી કંપનીએ કહ્યું કે અમે ફરી જણાવીયે છીએ કે અમારો કાયદાની યોગ્ય પ્રક્રિયામાં સંપૂર્ણ ભરોસો છે અને અમે અમારા ડિસ્ક્લોઝર્સની ગુણવત્તા અને કોર્પોરેટ ગવર્નન્સના ધોરણો પર વિશ્વાસ રાખીએ છીએ. વધુમાં આ સમાચાર અહેવાલોના પ્રકાશનનો સમય શંકાસ્પદ, તરકટી અને બદઇરાદા પ્રેરીત છે જેને અમે સંપૂર્ણ રીતે નકારીએ છીએ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.