આ તારીખથી પંપો પર નહીં મળે CNG, અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે ડીલર્સ

રાજ્યમાં CNG વેચાણ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. CNG વાહન ચાલકો માટે આ મોટા સમાચાર છે કેમ કે, 3 માર્ચથી અચોક્કસ મુદ્દત સુધી CNG નહીં વેચાય. ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી CNG વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.

શુક્રવારે સવારે 7 વાગ્યાથી CNG લોકોને મહીં મળી શકે, નવી જાહેરાત ના થાય ત્યાં સુધી આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. 3 માર્ચ સુધી ઓચોક્કસ મુદ્દતની હડતાળ કરવામાં આવી છે.

55 મહિનાથી CNG વેચાણ મામલે માર્જિન ના વધતા આ નારાજગી જોવા મળી રહી છે. અચોક્કસ મુદ્દતે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. સરકારે CNG પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે ત્યારે બીજી તરફ માર્જિન મામલે નારાજગી જોવા મળી રહી છે. જેથી આ માર્જિન નહીં વધારવામાં આવે તો વેચાણ બંધ કરશે. જે માટે 10 ટકા વધારાની માંગ કરવામાં આવી રહી છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસેએશન દ્વારા આ જાહેર કરવામાં આવી છે. અગાઉ પણ CNG મામલે દક્ષિણ ગુજરાતના CNG પંપ બંધ રહ્યા હતા. આ ઉપરાંત અવાર નવાર આ પ્રકારે વિરોધ જોવા મળ્યો છે ત્યારે ફરી એકવાર ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી CNG વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. નવી જાહેરાત ના થાય ત્યાં સુધી CNG નહીં આપવાનો હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.