આ ઝાડની એક એકરની ખેતીથી 1 કરોડ રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, જાણી લો રીત

ભારતમાં હરિયાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, બિહાર, કેરળ, ગુજરાત, પશ્ચિમ બંગાળ,ગોવા, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં મોટા પાયા પર નિલગીરીના ઝાડની ખેતી કરવામાં આવે છે. તેના લાકડાનો ઉપયોગ ફર્નીચરથી લઈને પાર્ટીકલ બોર્ડ અને ઈમારતોને બનાવવામાં પણ કરવામાં આવે છે. નિલગીરીન ઘણી જગ્યાઓએ સફેદાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ કોઈ પણ પ્રકારની આબોહવામાં ઉગી શકે છે. સાથે જ કોઈ પણ પ્રકારની માટીમાં તેની ખેતી કરવામાં આવી શકે છે. જોકે 6.5 થી 7.5 વચ્ચેના P.H વાળી જમીન પર આ છોડ ઘણો ઝડપથી વિકાસ પામે છે.

નિલગીરીની ખેતી કરનારા ખેડૂતો માટે સૌથી સારી વાત એ છે કે તમે આ છોડવાઓની વચ્ચે ઓછા સમયમાં નફો આપનારો પાક પણ ઉગાડી શકો છો. આ પાક નિલગીરીની ખેતીનો ખર્ચ કાઢી આપે છે. આ સિવાય સારો નફો પણ મળે છે. આ ઝાડની વચ્ચે તમે હળદર, આદુ, અળસી અને લસણ જેવા નફાકારક પાકને ઉગાડી શકો છો. નિલગીરીની ખેતીને સરકાર દ્વારા એટલું પ્રોત્સાહન આપવામાં આવતું નથી. માનવામાં આવે છે કે તેની ખેતીથી ભૂજલ સ્તર નીચે જતું રહે છે. જોકે તેને લઈને સરકાર તરફથી કોઈ નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું નથી.

તેમછતાં પણ જો ખેડૂત તેની ખેતી કરે છે તો તે માત્ર 10 વર્ષમાં જ એક એકરની જમીનમાં કરોડ રૂપિયા સુધીનો નફો હાંસલ કરવામાં આવી શકે તેમ છે. નિલગીરીના છોડને સંપૂર્ણ તૈયાર થઈને ઝાડ બનવામાં 10 થી 12 વર્ષના સમય લાગી જાય છે. તેની ખેતીમાં ખર્ચ પણ ઓછો થાય છે.

એક ઝાડનું વજન 400 કિલોની આસપાસ હોય છે. એક હેક્ટરના ખેતરમાં આશરે એક થી દોઢ હજાર ઝાડ ઉગાડી શકાય તેમ છે. ઝાડ તૈયાર થયા પછી તેના લાકડાંને વેચીને ખેડૂત સરળતાથી 70 લાખ થી 1 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. આ સિવાય ગ્રામીમ વિસ્તારોમાં વાંસની ખેતી પણ ઘણા મોટા પાયે કરવામાં આવે છે. આ એવી ખેતી છે જેને  એક વખત લગાવ્યા પછી તમે 30 થી 40 વર્ષ સુધી નફો મેળવી શકો છો. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર વાંસી ખેતી માટે પ્રોત્સાહન આપતી જોવા મળી છે.    

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.