અમદાવાદઃ દેરાણી-જેઠાણીની ક્રૂરતાપૂર્વક હત્યા, લાકડા લેવા ગયેલી. . .

PC: twitter.com

અમદાવાદ જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. સૌ કોઈ આ કિસ્સાને જોઈ હચમચાવી નાખ્યા છે. અહીંના એક ગામડામાં લાકડા લેવા માટે ગયેલી દેરાણી-જેઠાણીની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી દેવામાં આવી છે. કરુણ અંજામની વાયકા સમગ્ર પંથકમાં ફેલાય છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના ભુલાવડી નજીક ઝાણુ ગામની સીમમાં આવેલી અવાવરું વિસ્તારમાં બની હતી. અહીં દેરાણી-જેઠાણીનો મૃતદેહ મળી આવ્યો હતો. મંગીબેન અને ગીતાબેન ઠાકોર નામની બને મહિલાઓની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી દેવામાં આવી છે. બંને લાકડા લેવા માટે જતા હોય છે અને ત્યાર બાદ દરરોજની જેમ બપોરે પરત આવી જાય છે. જોકે સાંજ પડવા છતાં પણ બંને પરત નહિ ફરતા કંઈક અનહોની થઇ હોવાનો આભાસ થયો હતો ત્યાર પછી શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

આ અંગે પરિજનોને લાશ મળી હોવાની વાત સામે આવતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. બંનેને ગંભીર ઈજાઓ કરી અને તેમના શરીર પર ઘા જોવા મળ્યા હતા.

આ અંગે કોઈ અંગત અદાવત પણ કોઈ સાથે ન હોય તેવી વાત કરવામાં આવી રહી છે. તેવામાં પોલીસને આ બાબતે જાણ કરવામાં આવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp