આજથી આ 6 દેશમાંથી ભારત આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

દુનિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. વિશેષજ્ઞોઓનો દાવો છે કે નવા વર્ષ પર ત્યાં પરિસ્થિતિ વધુ પણ બગડશે. તેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ મંડવિયાએ જણાવ્યું કે, 1 જાન્યુઆરીથી હવે 6 દેશોથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. તેમને મુસાફરી કરવા પહેલા પોતાની નેગેટિવ રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે. 

સરકારે જે દેશોમાં મુસાફરો માટે RT-PCR અનિવાર્ય કર્યું છે, તેમાં ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઇલેન્ડ સામેલ છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલને લઇને જાહેર કરેલી ગાઇડલાઇન પર ભ્રમની સ્થિતિના કારણે એર સુવિધા લાગૂ કરવામાં આવી છે. આમ 24 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ઉડાણોથી આવનારા મુસાફરોથી 2 ટકાનું રેન્ડમ ટેસ્ટ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. એ સિવાય એરપોર્ટ પર કોરોના પ્રોટોકૉલનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

એ સિવાય એરપોર્ટ પર પ્રવેશ કરવા માટે સ્વાસ્થ્ય અધિકારી મુસાફરોની થર્મલ સ્ક્રિનિંગ કરી રહ્યા છે. સ્ક્રિનિંગ દરમિયાન જો લક્ષમ જોવા મળે છે તો તેમને પ્રોટોકોલ હેઠળ ચિકિત્સા સુવિધા આપવામાં આવે છે. વિદેશ મુસાફરોથી એટલે પણ એલર્ટ રહેવાની જરૂરિયાત છે કેમ કે વિદેશથી આવી રહેલા દરેક 150 મુસાફરોમાંથી એક પોઝિટિવ નીકળી રહ્યો છે. આંકડાઓ મુજબ, ભારતમાં એરપોર્ટ્સ પર છેલ્લા 2 દિવસોમાં 6000 મુસાફરોની કોરોના ટેસ્ટિંગ થયું છે.

તેમાંથી 30 મુસાફર કોરોના પોઝિટિવ આવ્યા છે એટલે કે 150માંથી 1 મુસાફર કોરોના પોઝિટિવ આવી રહ્યો છે. આ ચિંતા વધારનારી વાત છે કેમ કે તે દેશના ડેઇલી એવરેજ કેસથી ઘણા વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ ગત દિવસોમાં જણાવ્યું હતું કે, ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોના સંક્રમણના કેસ વધી શકે છે. દેશ માટે આગામી 40-45 દિવસ ખૂબ મહત્ત્વના હશે. તો IIT, કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે પણ માન્યું કે આગામી થોડા દિવસ મુશ્કેલ હોય શકે છે, પરંતુ ભારતમાં પેનિક હોવાનું કોઇ કારણ મને નજર પડી રહ્યું છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,36,919 લોકોનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું, જેમાં 268 લોકો પોઝિટિવ આવ્યા છે. તો આ વાયરસથી 2 લોકોના મોત થયા છે. હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,552 થઇ ગઇ છે. ડેઇલી પોઝિટિવિટી દર 0.11 ટકા છે, જ્યારે વિકલી પોઝિટિવિટી દર 0.17 ટકા છે. તો રિકવરી રેટ 98.80 ટકા છે. ચીનના મહામારી વિશેષજ્ઞ વૂ જુન્યોએ આગામી 3 મહિનામાં 3 લહેરો આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, ચીન અત્યારે પહેલી લહેરનો સામનો કરી રહ્યું છે અને તેનો પિક મિડ જાન્યુઆરીમાં હોય શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.