ઉમરપાડાના 1400 વિદ્યાર્થીઓને અદાણી ફાઉન્ડેશન તાલીમ આપશે

સુરત જિલ્લાના આદિવાસી બહુલ એવા ઉમરપાડા તાલુકાની સાત સરકારી પ્રાથમિક શાળાના 1400થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણના ઉત્થાન માટે સહયોગ આપવા માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન, હજીરા વચ્ચે કરાર થયા છે. પહલેથી જ ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની 25 સરકારી શાળાના 3100થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન સહાયક તરીકે સહયોગી શિક્ષક કાર્યરત છે. સમગ્ર રાજયમાં 122 જેટલી સરકારી શાળાના 18000થી વધુ વિદ્યાર્થીઓ સુધી અદાણી દ્વારા નિમણૂક પામેલા ઉત્થાન સહાયક શિક્ષકનો લાભ પહોચે છે.

અદાણી ફાઉન્ડેશન, હજીરાના સીએસઆર હેડ પ્રિયેશ રાઠોડ, પ્રોગ્રામ મેનેજર (શિક્ષણ) ડૉ.આશુતોષ ઠાકર અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.દિપક દરજી વચ્ચે આજે એક એમઑયુ ઉપર સહી થઈ હતી. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર દ્વારા શૈક્ષણિક રીતે પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓ જેને પ્રિય વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને ભણતરની સાથે તાલીમ પણ આપવામાં આવશે. આ શાળાઓમાં શિક્ષણ આપનાર વિદ્યાર્થીઓ ઉત્થાન સહાયક તરીકે ઓળખાય છે, તેઓ બાળકોને લેખન, વાંચન અને ગણન સારી રીતે શીખવશે. દરેક બાળકને ગુણવત્તાપૂર્ણ શિક્ષણનો અધિકાર છે. ઉત્થાન પ્રોજેક્ટમાં પ્રાથમિક શાળાઓના શિક્ષણના અને વિદ્યાર્થીના સ્તરને ઊંચું લઇ જવાનું છે અને આ બાળકોનું પાયાથી શિક્ષણ મજબૂત કરવાનું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 અને નિપુણ ભારતની યોજનાના વિચારની સાથે જોડાયેલુ છે.

'ઉત્થાન સહાયક' નામના પૂરક શિક્ષકોના સમર્થનથી, અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોમાં હાલની શૈક્ષણિક મશીનરીને મજબૂત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ હેતુ માટે, તે શાળાઓમાં પર્યાપ્ત સંસાધનો અને સુવિધાઓ સાથે શીખવાના સ્થળને આનંદદાયક પણ બનાવે છે. સમગ્ર ગુજરાતમાં મુન્દ્રા (કચ્છ)માં 75 શાળામાં 11,000 વિદ્યાર્થીઓ, દહેજ (ભરુચ)ની 15 શાળામાં 3000 વિદ્યાર્થીઓ અને હજીરા (સુરત)ના ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની 25 શાળામાં 3100 વિદ્યાર્થીઓ વચ્ચે કાર્યરત છે. હવે આદિવાસી બાળકોને ભણાવતી છેવાડાના ઉમરપાડા તાલુકાની સાત સરકારી શાળાના 1400 વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોનો લાભ મળશે.

 

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.