અદાણી વિદ્યામંદિર અમદાવાદ અને UNICEF વચ્ચે શિક્ષણને લઇને કોલેબ્રેશન

અદાણી વિદ્યામંદિર- અમદાવાદ (AVMA) અને UNICEF વચ્ચે શિક્ષણને ગુણવત્તાયુક્ત અને સર્વગ્રાહી બનાવવા કોલેબ્રેશન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન "યુનિસેફ ઓન કેમ્પસ નોલેજ ઇનિશિયેટિવ" અંતર્ગત AVMA સહયોગી પ્રવૃત્તિઓ માટે યુનિસેફ સાથે મળીને શૈક્ષણિક મિશનની સફળતા માટે યોગદાન આપશે. ગુજરાતમાં ખાનગી શાળા સાથે સૌપ્રથમવાર થયેલા આ સહયોગથી શિક્ષણને આગળ ધપાવતું અનોખું મોડેલ ઊભું કરાશે.
યુનિસેફ સાથેના કોલેબ્રેશનથી વિદ્યાર્થીઓને જ્ઞાનવર્ધન સહિત અનેક ફાયદાઓ થશે. જેમાં તેમના દ્વારા ચલાવાતા ખાસ કાર્યક્રમો બાળઅધિકાર જાગૃતિ, ક્લાઈમેટ એક્શન, લાઈફ સ્કીલ્સ, બોડી પોઝીટીવીટી અને સેલ્ફ એસ્ટીમ, ન્યુટ્રીશન, એનિમિયા, ઓનલાઈન સેફ્ટી, નાણાકીય સાક્ષરતા, બાળકોને હિંસામુક્ત કરવા જેવા વિષયોમાં પ્રશિક્ષિત કરવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણી જણાવે છે કે “અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી વિદ્યા મંદિર (અમદાવાદ) યુનિસેફ સાથેના સહયોગથી વિદ્યાર્થીઓને ઇમર્સિવ ભણતરનો લાભ મળશે તે ખૂબ જ આનંદની વાત છે.” અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણીએ યુનિસેફ સાથે સહયોગ કરનાર ગુજરાતની પ્રથમ ખાનગી શાળા બનવા બદલ AVMA ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ સહયોગ ગુણવત્તાયુક્ત શિક્ષણને આગળ વધારતા ગુજરાતમાં એક અનોખું મોડેલ બનાવવામાં યોગદાન આપશે. આ પહેલ હેઠળના વિવિધ કાર્યક્રમો એલિક્સિર ફાઉન્ડેશન સહિત અન્ય ભાગીદાર સંસ્થાઓ સાથે આયોજિત કરવામાં આવશે.
આ સહયોગ બદલ આનંદ વ્યક્ત કરતા યુનિસેફની ગુજરાત ફિલ્ડ ઓફિસના વડા પ્રશાંતા દાશ જણાવે છે કે ”વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરતા અદાણી વિદ્યા મંદિર સાથે યુનિસેફ ઓન કેમ્પસ નોલેજ ઇનિશિયેટિવ' કરતા યુનિસેફ આનંદ અનુભવે છે. આ ખાસ મોડેલમાં બાળકોની જાગૃતિ વધારવા અને સામાજિક મુદ્દાઓ પરત્વે તેમનો અવાજ બુલંદ કરવા પ્લેટફોર્મ પ્રદાન કરવા તેમજ વિકાસ અને ભાગીદારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ”

વળી અત્યાધુનિક ડિજિટલ, ઓન-ગ્રાઉન્ડ કેમ્પેઈન અને પહેલો દ્વારા બાળકોની સહભાગિતાને પ્રોત્સાહિત કરવામાં આવશે. જે અંતર્ગત લર્નિંગ/માટેરિંગ/ક્ષમતા નિર્માણના સત્રો તેમજ યુવા નેતાઓ અને પ્રભાવકોના વ્યાખ્યાનો વગેરે આવરી લેવામાં આવશે. યુનિસેફ AVMA ના યુવા વચેમ્પિયનની ઓળખ કરી વિવિધ પ્લેટફોર્મ દ્વારા તેનો વ્યાપ વધારશે. વર્ષાંતે UNICEF અને AVMA આ સહયોગની અસરનું વિશ્લેષણ કરી તેને આગામી વર્ષો માટે વિસ્તારવા સંમત થઈ શકે છે.
AVMA આર્થિક પડકારોનો સામનો કરી રહેલા અસાધારણ પ્રતિભા ધરાવતા બાળકો માટે આદર્શ વિદ્યામંદિર છે. હાલ તેમાં અમદાવાદના 1,000 વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણના મૂલ્યો સાથે જીવન ઘડતર થઈ રહ્યું છે. CBSE સંલગ્ન આ શાળામાં વિદ્યાર્થીઓને પરિવહન, ગણવેશ, પુસ્તકો અને ભોજનમાં પૂરક સહાય સાથે શિક્ષણ આપવામાં આવે છે. હાલ શાળામાં વિજ્ઞાન, વાણિજ્ય અને હ્યુમાનીટી સ્ટ્રીમના 4 થી 12 સુધી ભણાવવામાં આવે છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) હેઠળ 'NABET માન્યતા પ્રાપ્ત શાળા' તરીકે AVMA ને પ્રમાણિત કરવામાં આવી છે. આ સિદ્ધિ હાંસલ કરનાર અમદાવાદ શહેરની પ્રથમ ખાનગી શાળા છે.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.