સ્કૂલોમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા સરકાર લાવશે બિલ, નહીં ભણાવે તો...

માતૃભાષામાં ધોરણ 1થી 8માં ભણાવવા મામલે રાજ્ય સરકાર દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ બિલ લાવવામાં આવશે. આ બિલની અંદર સજા અને દંડની જોગવાઈઓ કરવામાં આવશે. આ સજા એવી સ્કૂલો સામે થશે જે સ્કૂલો માતૃભાષામાં ભણાવતી નથી. અંગ્રેજી માધ્યમના ચક્કરમાં વિદ્યાર્થીઓને માતૃભાષામાં જ ભણાવવામાં ના આવતા માતૃભાષાની જાળવણીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. કેમ કે, પાયાના શિક્ષણની અંદર માતૃભાષા ભણાવવી એ જરૂરી છે. જે હેતુથી શાળાઓ મનમાની કરતા રાજ્ય સરકારે કાયદો કડક કાર્યવાહી કરતો લાવવા માટે વિધેયકની તૈયારીઓ શરુ કરી છે.

શાળામાં ધોરણ 1થી 8માં ફરજિયાત ગુજરાતમાં ભણાવવાને લઈને ગુજરાત વિધાનસભાના સત્રની અંદર 28 ફેબ્રુઆરી બિલ લવાશે. ધોરણ 1થી 8માં ઘણી શાળાઓ ગુજરાતી ભાષા ભણાવતી નથી.

જેથી આ માટે વિધેયતમાં દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવશે. શાળાઓ સામે તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે, કાયદો ભંદગ થવા સામે દંડની જોગવાઈઓ પણ કરવામાં આવશે. જેથી આ પ્રકારનું બિલ ઘણું મહત્વનું રહેશે.

ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાને લઈને સરકારને હાઈકોર્ટે પણ આડે હાથ લેતા વેધક સવાલો કરવામાં આવ્યા હતા. ગુજરાતી પણ આપણા બંધારણની ભાષાઓમાંની એક છે. તમે તેને શાળાઓમાં ભણાવ્યા વિના કેવી રીતે જાળવણી કરશો. ગુજરાત સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે તે વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવાની નીતિને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે એક નિયમનકારી તંત્રની રચના કરાશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.