EDએ એક્ટર પ્રકાશ રાજને મોકલ્યું સમન્સ, 100 કરોડ...

On

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ત્રિચી સ્થિતિ આભૂષણ ગ્રુપ વિરુદ્ધ પોંજી કૌભાંડ સાથે જોડાયેલા ધનશોધન કેસમાં પૂછપરછ માટે એક્ટર પ્રકાશ રાજને સમન્સ પાઠવવામાં આવ્યા છે. અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, એક્ટર પ્રકાશ રાજને EDએ 100 કરોડ રૂપિયાના કથિત કૌભાંડ પોંજી સ્કીમ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. હાલમાં જ EDએ ધનશોધન નિવારણ અધિનિયમ (PMLA)ના પ્રાવધાનો હેઠળ 20 નવેમ્બરના રોજ ત્રિચી સ્થિત એક પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સ સાથે જોડાયેલી સંપત્તિઓની તપાસ કરી હતી. આ જ તપાસ બાદ પ્રકાશ રાજને ED દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે.

છાપેમારી બાદ પ્રકાશ રાજને EDનું સમન્સ આવ્યું છે. છાપેમારીમાં વિભિન્ન આપત્તિજનક દસ્તાવેજ, 23.70 લાખ રૂપિયાની બેહિસાબ રોકડ અને 11.60 કિલોગ્રામ વજનના સોનાના આભૂષણ મળી આવ્યા છે. EDના અધિકારીઓ પાસેથી સંકેત મળે છે કે પ્રકાશ રાજને બોલાવવા પ્રણવ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી કથિત નકલી સોનાના રોકાણ યોજનાની વ્યાપક તપાસનો હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે 58 વર્ષીય એક્ટર આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમને આગામી અઠવાડિયે ચેન્નાઈમાં કેન્દ્રીય એજન્સી સામે રજૂ થવા કહેવામાં આવ્યું છે.

પોંજી સ્કીમ કથિત રીતે પ્રણવ જ્વેલર્સ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. આ સ્કીમ કથિત નાણાકીય ગરબડીમાં સામેલ અન્ય લોકો વિરુદ્ધ ત્રિચીમાં ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચ (EOW) દ્વારા નોંધવામાં આવેલી FIRના આધાર પર EDની તપાસના દાયરામાં આવી ગઈ છે. EOW મુજબ, પ્રણવ જ્વેલર્સે આકર્ષક રિટર્નનો વાયદો કરતાં સોનાના રોકાણની યોજનાના બહાને જનતા પાસે 100 કરોડ રૂપિયા જમા કર્યા. જો કે, કંપની પોતાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી, જેથી રોકાણકાર અધ્ધર લટકી ગયા.

પ્રણવ જ્વેલર્સ એવા રોકાણકારોને રકમ પરત કરવામાં નિષ્ફળ રહ્યું છે. EDની તપાસમાં જાણકારી મળી કે પ્રણવ જ્વેલર્સ અને અન્ય જોડાયેલા લોકોએ ભરમાવીને જનતા પાસેથી છેતરપિંડી કરી. તેમણે લોકોને ભરમાવ્યા અને પ્રણવ જ્વેલર્સે પોતાના ઘણા શૉરૂમ રાતોરાત બંધ કરી દીધા હતા. પ્રણવ જ્વેલર્સ ચેન્નાઈ સહિત ઇરોડ, નાગરકોઈલ, મદૂરૈ, કુંબકોણામ અને પુદૂચેરીના શૉરૂમમાં એવી સ્કીમ ચલાવી હતી અને લોકોએ મોટી રકમ રોકાણ કરી હતી, પરં એ લોકો પછી છેતરાયા.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati