ગોવિંદાએ કર્યો દાવો, કેમેરોને 18 કરોડમાં 'અવતાર' ફિલ્મ ઓફર કરી હતી, ટાઇટલ પણ મેં જ આપેલું

બોલિવૂડના હીરો નંબર 1 ગોવિંદા તેની પત્ની સુનિતા સાથે છૂટાછેડાની અફવાઓને કારણે હેડલાઇન્સમાં છે. પરંતુ હવે તે પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યો છે. ગોવિંદાએ દાવો કર્યો છે કે, ફિલ્મ નિર્માતા જેમ્સ કેમેરોને તેમને 18 કરોડ રૂપિયામાં અવતારમાં મુખ્ય ભૂમિકાની ઓફર કરી હતી. અભિનેતાએ વધુમાં જણાવ્યું કે, તેણે કેમેરોનને ફિલ્મનું શીર્ષક પણ સૂચવ્યું હતું.

Govinda, Avatar
timesnownews.com

મુકેશ ખન્ના સાથે વાત કરતાં ગોવિંદાએ કહ્યું, 'મેં 21.5 કરોડ રૂપિયાની ઓફર છોડી હતી અને મને તે યાદ છે, કારણ કે તેને છોડવી ખૂબ જ પીડાદાયક હતી. હું અમેરિકામાં એક સરદારજીને મળ્યો અને તેમને એક બિઝનેસ આઈડિયા આપ્યો જે કામ કરી ગયો. થોડા વર્ષો પછી, તેમણે મને જેમ્સ કેમેરોન સાથે પરિચય કરાવ્યો. તેમણે મને જેમ્સ સાથે ફિલ્મ બનાવવા કહ્યું, તેથી મેં તેને ચર્ચા કરવા માટે રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું. મેં ફિલ્મનું ટાઇટલ આપ્યું 'અવતાર'.

Govinda, Avatar
indianexpress.com

'જેમ્સે મને કહ્યું કે ફિલ્મનો હીરો વિકલાંગ છે, તેથી મેં કહ્યું કે હું આ ફિલ્મ નથી કરી રહ્યો. તેમણે મને આ માટે 18 કરોડ રૂપિયાની ઓફર કરી અને કહ્યું કે મારે 410 દિવસ શૂટિંગ કરવું પડશે. મેં કહ્યું ઠીક છે, પણ જો હું મારા શરીરને કલર કરાવીશ, તો હું હોસ્પિટલમાં હોઈશ.'

ગોવિંદાએ આગળ કહ્યું, 'આપણું શરીર જ આપણું એકમાત્ર સાધન છે. ક્યારેક, કેટલીક વસ્તુઓ વ્યાવસાયિક રીતે ખૂબ જ આકર્ષક લાગે છે, પરંતુ તમારે તમારા શરીર પર તેની અસરો પર પણ ધ્યાન આપવું પડશે. ક્યારેક, તમારે વર્ષો સુધી ફિલ્મ નકારવા બદલ લોકોની માફી માંગવી પડે છે. ભલે તેઓ નજીકના હોય, પરંતુ તેમનો અહંકાર ખૂબ જ મજબૂત હોય છે.'

Govinda, Avatar
navbharattimes.indiatimes.com

અહીં તમને જણાવી દઈએ કે, ગોવિંદા અને પત્ની સુનિતાના લગ્નને 37 વર્ષ થઈ ગયા છે. છૂટાછેડાની અફવાઓએ સર્વત્ર સનસનાટી મચાવી દીધી. પરંતુ એવું બહાર આવ્યું કે, પત્ની સુનિતાએ 6 મહિના પહેલા છૂટાછેડાની નોટિસ આપી હતી, ત્યારપછી દંપતીએ સમાધાન કર્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ગોવિંદા ટૂંક સમયમાં 6 વર્ષ પછી મોટા પડદા પર પાછા ફરવા જઈ રહ્યા છે. તે તાજેતરમાં ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં જોવા મળ્યો હતો.

Govinda, Avatar
ottplay.com

અહીં તમને બતાવી દઈએ કે, પહેલી 'અવતાર' ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી, જેમાં સેમ વર્થિંગ્ટન અને ઝો સલ્ડાના મુખ્ય ભૂમિકામાં હતા. તેનો બીજો ભાગ 'ધ વે ઓફ વોટર' 16 ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થયો હતો. ત્રીજો ભાગ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની ધારણા છે, જ્યારે 'અવતાર 4' 2029માં અને 'અવતાર 5' 2031માં રિલીઝ થવાની ધારણા છે.

Related Posts

Top News

ટ્રેનમાં રોકડની જરૂર પડી ગઈ છે? નો ટેન્શન, રેલવેએ ટ્રેનમાં ATM મશીન જ મૂકી દીધું

ઘણીવાર લોકોને ટ્રેનોમાં મુસાફરી કરતી વખતે રોકડની સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્યારેક, જે લોકો ખુબ જ ઉતાવળે મુસાફરી...
Business 
ટ્રેનમાં રોકડની જરૂર પડી ગઈ છે? નો ટેન્શન, રેલવેએ ટ્રેનમાં ATM મશીન જ મૂકી દીધું

રાહુલે ગુજરાતમાં કહ્યું- કોંગ્રેસમાં ત્રીજા પ્રકારના ઘોડા પણ છે

રાહુલ ગાંધી 15-16 એપ્રિલ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. બુધવારે મોડાસામાં કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યુ હતું કે, મેં અગાઉ કોંગ્રેસમાં...
Politics 
રાહુલે ગુજરાતમાં કહ્યું- કોંગ્રેસમાં ત્રીજા પ્રકારના ઘોડા પણ છે

ફ્રાન્સના યુટ્યુબરે ભારતીય ટ્રેનમાં દેખાડ્યા ઉંદરો અને વંદા; બોલ્યો- મેન્ટલી પરેશાન થઈ ગયો છું, હવે...

આપણાં બધાને ટ્રેનની મુસાફરી ખૂબ ગમે છે અને તેની સાથે ઘણી યાદો જોડાયેલી હોય છે, પરંતુ આજે અમે તમને...
National 
ફ્રાન્સના યુટ્યુબરે ભારતીય ટ્રેનમાં દેખાડ્યા ઉંદરો અને વંદા; બોલ્યો- મેન્ટલી પરેશાન થઈ ગયો છું, હવે...

હવે નારાયણ-નોર્ખિયાના બેટ ટેસ્ટમાં નિષ્ફળ, અમ્પાયરો જે તપાસ કરે છે તે IPLનો 'ગેજ ટેસ્ટ' શું છે?

મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી....
Sports 
હવે નારાયણ-નોર્ખિયાના બેટ ટેસ્ટમાં નિષ્ફળ, અમ્પાયરો જે તપાસ કરે છે તે IPLનો 'ગેજ ટેસ્ટ' શું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.