સચિન તેંદુલકરના આઉટ થયા બાદ 15 દિવસ સુધી વાત નહોતા કરતા લતા મંગેશકર

આજે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો જન્મદિવસ છે. સચિન આજે 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે તેમને લઈને એક કિસ્સો તમારી સાથે અમે શેર કરી રહ્યા છીએ. થોડા મહિના પહેલા એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં સ્વર કોકિલા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે મંચ પર હરીશ ભીમાણી, સંજીવની ભેલાંડે અને લેખક યતીન્દ્ર મિશ્રા હાજર રહ્યા હતા. આ દરમિયાન યતીન્દ્ર મિશ્રાએ લતા મંગેશકર સાથે જોડાયેલી એક અનટોલ્ડ સ્ટોરી કહી. સ્વર કોકિલા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે તે ક્યારે સૌથી વધુ દુખી થતા હતા.

લતા મંગેશકર સંગીત જગતની રાણી હતા, તેમને સંગીત પ્રત્યે કેટલો પ્રેમ હતો, તે સૌ કોઈ જાણે છે. પરંતુ સંગીત ઉપરાંત તેને ક્રિકેટ પણ ખૂબ પસંદ હતી. લતા મંગેશકરને યાદ કરતા યતીન્દ્ર મિશ્રાએ કહ્યું કે જ્યારે પણ લતાજી શૂટિંગ કરવા માગતા ન હતા ત્યારે તેમના સેક્રેટરી તેમને ફોન કરીને જણાવી દેતા હતા. તો જ્યારે ભારત મેચ હારી ગયું હોય તો તેમની સાથે વાત કરવી મુશ્કેલ બની જતી હતી.

યતીન્દ્ર મિશ્રા કહે છે કે 'જ્યારે ભારત મેચ હારતું ત્યારે તેઓ 15 દિવસ સુધી વાત કરતા ન હતા. ખાસ કરીને જ્યારે સચિન તેંડુલકર આઉટ થતા હતા ત્યારે તે બોલવાનું બંધ કરી દેતા હતા. ક્રિકેટમાં ભારતની હાર તેમનાથી સહન થઈ શકતી નહીં અને તે દુઃખી થઈ જતા. યતીન્દ્ર મિશ્રા કહે છે કે 'જ્યારે ભારત હારી ગયું હોય ત્યારે તેમની સાથે વાત કરવી ખૂબ મુશ્કેલ થઈ જતી હતી. એટલા માટે હું માનતો હતો કે જ્યાં સુધી તેમની સાથે વાત કરીએ છીએ ત્યાં સુધી સચીન આઉટ ન થવો જોઈએ.

આ દર્શાવે છે કે તેમને ક્રિકેટથી કેટલો પ્રેમ હતો. યતીન્દ્ર મિશ્રાએ એ પણ જણાવ્યું કે સંગીતની દુનિયામાં મોટું નામ હોવા છતાં તે નાના-મોટા લોકોને જી કહીને બોલાવતી હતી. લતા મંગેશકરની આ વાત તેમની મહાનતા દર્શાવે છે. તેથી જ દરેક વ્યક્તિ તેમનાથી જોડાયેલો હોવાનું અનુભવે છે.

યતીન્દ્ર મિશ્રા કહે છે કે લતા મંગેશકર ગુલામ અલી ખાનની જેમ ગાવા માગતા હતા. લતાજીને સાહિત્ય અને સંગીત શીખી ન શકવાનું દુઃખ હતું. લતા મંગેશકર વિશે વાત કરતા સંજીવની ભેલાંડેએ કહ્યું કે લતા મંગેશકર 4 મિનિટના ગીતમાં આખી વાર્તા કહેતા હતા. તેમના જેવું કોઈ નથી અને તેમના જેવું કોઈ હશે પણ નહીં.

કાર્યક્રમના અંતે હરીશ ભીમાણીએ કહ્યું કે હું લતા મંગેશકરજીને કહેવા માંગુ છું કે અમે બધા તમને ખૂબ જ યાદ કરીએ છીએ. જલ્દી આવજો. ફક્ત એક નાનો સંકેત આપજો. અમે સમજી જઈશું. આ રીતે લતા મંગેશકરને સાહિત્યના મંચ પર નાની-મોટી અને રસપ્રદ વાતોથી યાદ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.