મહેશ કનોડિયાના નિધન બાદ PM નરેન્દ્ર મોદીએ કરી ટ્વીટ

નરેશ કનોડિયાના ભાઈ, પૂર્વ સાંસદ અને ગાયક મહેશ કનોડિયાનું આજે નિધન થયું હતું. તેમના નિધન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી હતી. PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, મહેશ કનોડિયાના નિધનથી ખૂબ જ દુખ થયું. તેઓ એક બહુમુખી પ્રતિભાસંપન્ન ગાયક હતા, જેમને લોકોનો અપાર પ્રેમ મળ્યો. એક રાજનેતાના રૂપમાં પણ તેઓ ગરીબો અને પછાત વર્ગના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યા હતા. હિતુ કનોડિયા સાથે મેં વાત કરી અને તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

બીજી ટ્વીટમાં PMએ લખ્યુ હતું કે, ગુજરાતના મશહૂર સંગીતકાર અને ગાયક શ્રી મહેશ કનોડિયાના અવસાનથી દુઃખ અનુભવું છું. શ્રી મહેશ કનોડિયાએ ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓની લાંબા સમયની સંસદસભ્ય તરીકેની પ્રભાવી કામગીરીનો હું નજીકથી સાક્ષી રહ્યો છું.

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસદ અને નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે ગાંધીનગરમાં નિધન થયું છે. મહેશ કનોડિયા છેલ્લા લાંબા સમયથી બીમાર હતા અને બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું છે. મહેશ કનોડિયા દેશ-વિદેશમાં મહેશ-નરેશના નામે અનેક મ્યુઝિકલ કાર્યક્રમો પણ આપી ચૂક્યા છે.

80 દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહેશ-નરેશ એવા ગુજરાતી સ્ટાર છે કે, જેમણે ભારત બહાર જઈને પણ સ્ટેજ પ્રોગ્રામો કર્યા છે. મહેશ-નરેશની બેલડી આફ્રિકા, અમેરિકા તથા એશિયા જેવા દેશોમાં અનેક સ્ટેજ પ્રોગ્રામમાં પર્ફોમન્સ આપ્યું છે.

મહેશ કનોડિયાનો જન્મ મહેસાણાના કનોડા ગામમાં થયો હતો અને તેમના પિતા મીઠાભાઇ અને માતા દલીબેન વણાટ કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. મીઠાભાઈને 7 સંતાનો હતા. જેમાં નરેશ કનોડિયા, શંકર કનોડિયા, નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનો સમાવેશ થાય છે અને ત્રણ બહેનોમાં નાથીબેન, પાનીબેન અને કંકુબેનનો પણ સમાવેશ થાય છે.

ચાર ભાઈ અને ત્રણ બહેન હોવા છતાં પણ મીઠાભાઇ એક જ રૂમમાં રહેતા હતા. ગુજરાતી ફિલ્મ સંગીતકાર તરીકે ખ્યાતિ પામેલા મહેશ કનોડિયાએ પિતાની યાદગીરીના રૂપમાં હજી પણ તેમનું 1 રૂમવાળું મકાન રાખ્યું છે. મહત્ત્વની વાત છે કે, મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા નાની ઉંમરથી જ સ્ટેજ પ્રોગ્રામ શરૂ કર્યા હતા. છેલ્લા કેટલાક માહિલાઓથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર કહેવાતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાને પણ હતા. તેમણે અમદાવાદને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 20 ઓક્ટોબરના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાલ તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 22 સપ્ટેમ્બરના રોજ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નરેશ કનોડિયાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.

About The Author

Related Posts

Top News

પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

ક્યારેક, એકદમ સરળ માહિતીથી પણ મોટામાં મોટો ગુનો ઉકેલાઈ જતો હોય છે. ગાઝિયાબાદમાં આ નકલી પાસપોર્ટ કેસ આવો જ...
National 
પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

રામલીલા દરમિયાન, રામે રાવણને મારવા માટે તીર છોડ્યું, પરંતુ તીર રાવણની ભૂમિકા ભજવતા અભિનેતાની આંખમાં વાગ્યું, જેના...
National 
રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

ગુજરાતમાં કોંગ્રેસે જન આક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાની આજે શરૂઆત કરી દીધી છે. યાત્રા અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ...
Gujarat 
ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

મૃત જાહેર કરી જેમના મતદાર યાદીમાંથી નામ કાપી નખાયા તેમને લઈને દિલ્હી જ્ઞાનેશ કુમાર પાસે પહોંચી ગયા મમતા, કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું IT સેલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દિલ્હીના પ્રવાસે છે, જ્યાં તેમણે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક વલણ...
Politics 
મૃત જાહેર કરી જેમના મતદાર યાદીમાંથી નામ કાપી નખાયા તેમને લઈને દિલ્હી જ્ઞાનેશ કુમાર પાસે પહોંચી ગયા મમતા, કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું IT સેલ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.