મહેશ કનોડિયાના નિધન બાદ PM નરેન્દ્ર મોદીએ કરી ટ્વીટ

નરેશ કનોડિયાના ભાઈ, પૂર્વ સાંસદ અને ગાયક મહેશ કનોડિયાનું આજે નિધન થયું હતું. તેમના નિધન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી હતી. PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, મહેશ કનોડિયાના નિધનથી ખૂબ જ દુખ થયું. તેઓ એક બહુમુખી પ્રતિભાસંપન્ન ગાયક હતા, જેમને લોકોનો અપાર પ્રેમ મળ્યો. એક રાજનેતાના રૂપમાં પણ તેઓ ગરીબો અને પછાત વર્ગના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યા હતા. હિતુ કનોડિયા સાથે મેં વાત કરી અને તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

બીજી ટ્વીટમાં PMએ લખ્યુ હતું કે, ગુજરાતના મશહૂર સંગીતકાર અને ગાયક શ્રી મહેશ કનોડિયાના અવસાનથી દુઃખ અનુભવું છું. શ્રી મહેશ કનોડિયાએ ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓની લાંબા સમયની સંસદસભ્ય તરીકેની પ્રભાવી કામગીરીનો હું નજીકથી સાક્ષી રહ્યો છું.

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસદ અને નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે ગાંધીનગરમાં નિધન થયું છે. મહેશ કનોડિયા છેલ્લા લાંબા સમયથી બીમાર હતા અને બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું છે. મહેશ કનોડિયા દેશ-વિદેશમાં મહેશ-નરેશના નામે અનેક મ્યુઝિકલ કાર્યક્રમો પણ આપી ચૂક્યા છે.

80 દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહેશ-નરેશ એવા ગુજરાતી સ્ટાર છે કે, જેમણે ભારત બહાર જઈને પણ સ્ટેજ પ્રોગ્રામો કર્યા છે. મહેશ-નરેશની બેલડી આફ્રિકા, અમેરિકા તથા એશિયા જેવા દેશોમાં અનેક સ્ટેજ પ્રોગ્રામમાં પર્ફોમન્સ આપ્યું છે.

મહેશ કનોડિયાનો જન્મ મહેસાણાના કનોડા ગામમાં થયો હતો અને તેમના પિતા મીઠાભાઇ અને માતા દલીબેન વણાટ કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. મીઠાભાઈને 7 સંતાનો હતા. જેમાં નરેશ કનોડિયા, શંકર કનોડિયા, નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનો સમાવેશ થાય છે અને ત્રણ બહેનોમાં નાથીબેન, પાનીબેન અને કંકુબેનનો પણ સમાવેશ થાય છે.

ચાર ભાઈ અને ત્રણ બહેન હોવા છતાં પણ મીઠાભાઇ એક જ રૂમમાં રહેતા હતા. ગુજરાતી ફિલ્મ સંગીતકાર તરીકે ખ્યાતિ પામેલા મહેશ કનોડિયાએ પિતાની યાદગીરીના રૂપમાં હજી પણ તેમનું 1 રૂમવાળું મકાન રાખ્યું છે. મહત્ત્વની વાત છે કે, મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા નાની ઉંમરથી જ સ્ટેજ પ્રોગ્રામ શરૂ કર્યા હતા. છેલ્લા કેટલાક માહિલાઓથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર કહેવાતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાને પણ હતા. તેમણે અમદાવાદને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 20 ઓક્ટોબરના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાલ તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 22 સપ્ટેમ્બરના રોજ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નરેશ કનોડિયાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.