‘હવે તેઓ કદાચ મારી સાથે..’, દીકરા અને દીકરી અંગે શાહરૂખે કહી મોટી વાત

On

શાહરુખ ખાન હાલના દિવસમાં પોતાની ફિલ્મ ‘ડંકી’ની સફળતાનું સેલિબ્રેશન કરી રહ્યો છે. આ વર્ષની ત્રીજી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ હવે શાહરુખ ખાને પોતાના બાળકોના કરિયર પર ચર્યા કરી. તેણે જણાવ્યું કે સુહાના ખાન અને આર્યન ખાને પોતે આ શૉ બિઝનેસમાં આવવાનો નિર્ણય લીધો છે. શાહરુખ ખાને પોતાના બાળકોને ફિલ્મી જગતમાં પગ રાખવા માટે શુભમકામનાઓ આપી.

એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરવા દરમિયાન શાહરુખ ખાને પોતાના બંને બાળકોના ફિલ્મી કરિયર બાબતે ચર્ચા કરતા કહ્યું કે, ‘ન મેં અને ન તો ક્યારેય ગૌરીએ આર્યન કે સુહાનાને આ પ્રોફેશનલમાં આવવા કહ્યું છે. આ તેમનો પોતાનો નિર્ણય હતો? શાહરુખ ખાને આગળ એમ પણ કહ્યું કે, 'ઘણી વખત એમ થયું છે કે એક્ટર તરીકે મેં જ્યારે કોઈ નિર્ણય લીધો છે, મારો પરિવાર હંમેશાં સાથે ઊભી રહી છે. ભલે મારા પરિવારજનોને મારી પરિસ્થતિ સમજ ન આવી હોય, પરંતુ મને તેમનો સપોર્ટ મળ્યો છે.’

શહરૂખ ખાન કહે છે કે, ‘મને એ વાતની ખુશી છે કે હવે મારા બાળકો આ શૉ બિઝનેસનો હિસ્સો થવા જઈ રહ્યા છે. હવે તેઓ મારી ભાવનાઓને સારી રીતે સમજશે અને મારી સાથે હવે વધુ કોમળતાથી રજૂ થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુહાના ખાને ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચિસ’થી એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો. ફિલ્મને દર્શકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યા. સુહાના ખાનની એક્ટિંગના ખૂબ વખાણ થયા. તો શાહરૂખનો મોટો પુત્ર આર્યન ખાન પર બોલિવુડમાં પોતાનું નસીબ અજમાવવા તૈયાર છે.

જો હાલમાં સિનેમાઘરોમાં રીલિઝ થયેલી શાહરૂખની ફિલ્મ ‘ડંકી’ની વાત કરીએ તો તેનું ડિરેક્શન રાજકુમાર હીરાનીએ કર્યું છે. જો કે, આ ફિલ્મ ગત ફિલ્મોની તુલનામાં પાછળ રહી ગઈ છે, પરંતુ તેણે ખૂબ જ સરળતાથી 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. ડંકીના માર્ગમાં રોડો બનીને આવી છે સાઉથ સિનેમાના સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’, જે હાલના દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. શાહરૂખની ફિલ્મ ડંકી’ની કમાણી છઠ્ઠા દિવસે અડધાથી પણ ઓછી થઈ ગઈ. Sacnilkના રિપોર્ટ મુજબ ડંકીએ સોમવારે 24.32 કરોડ રૂપિયાની કમાણી કરી. તો મંગળવારે ફિલ્મે માત્ર 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી. આ ફિલ્મે કુલ મળીને ભારતીય બોક્સ ઓફિસ પર 140.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

 

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati