GPSSB ઇન્ચાર્જની જવાબદારી સંભાળી IPS પટેલે ક્લાર્કની પરીક્ષા વિશે આ જાહેરાત કરી

પંચાયત સેવા પસંદગી મંડળના જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના બાદ રાજ્યના હજારો વિદ્યાર્થિઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ મામલે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લઈ પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપી છે. હવે આ મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે માહિતી આપવામાં આવી છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા હવે એપ્રિલ મહિનામાં લેવાઈ શકે છે. જોકે હજી સુધી ચોક્કસ તારીખ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા સૂત્રો મુજબ, મંડળ દ્વારા જણાવાયું છે કે, બોર્ડની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ શકે છે. પરીક્ષાની તારીખ અંગે જલ્દી જાહેરાત કરવામાં આવશે. હસમુખ પટેલે જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનાને કમનસીબ ગણાવી છે. તેમણે કહ્યું કે, એપ્રિલ મહિનામાં પરીક્ષા લેવાની તૈયારી ચાલી રહી છે, પરંતુ હજી આ ચોક્કસ નથી. વહેલામાં વહેલી તકે પરીક્ષા લેવામાં આવશે.

હસમુખ પટેલે જણાવ્યું કે, ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા અને તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકાર અને પંચાયત સેવા પસંદગી મંડળની પ્રાથમિકતા છે કે તમામ પરીક્ષા સ્વચ્છ અને વહેલી તકે લેવાય. તેમણે કહ્યું કે, પેપર લીક ન થાય અને પરીક્ષા કેન્દ્રો પર ગડબડી ન થાય તે માટેની કાળજી રાખવાની છે. જે લોકો આવી ગેરકાયદે પ્રવત્તિ કરી રહ્યા છે તેમની વિરુદ્ધ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા પણ સરકાર દ્વારા જણવાયું હતું કે 100 દિવસની અંદર પરીક્ષા લેવામાં આવશે. હસમુખ પટેલે પણ વિદ્યાર્થીઓને તૈયારી કરવા જણાવ્યું છે.

જણવી દઈએ કે અત્યાર સુધીમાં રાજ્યમાં 12 પેપર ફૂટ્યા છે. વારંવાર પેપર ફૂટવાની ઘટનાના કારણે રાજ્ય સરકારની કામગીરી પર પણ સવા ઊભા થયા છે. આથી ભવિષ્યમાં હવે ફરી કોઈ પરીક્ષાનું પેપર લીક ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પેપરલીકમાં સામેલ લોકો સામે નવા કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. સાથે જ પરીક્ષા દરમિયાન પોલીસ તંત્ર સહિત વિવિધ એજન્સીઓને પણ એલર્ટ રહેવા સૂચન કરાશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.