ધોરાજીમાં તાજીયા દરમિયાન 15 લોકોને કરંટ લાગતા 2ના મોત, અનેક ગંભીર

રાજકોટમાં એક ખૂબ જ દુખદ ઘટના સામે આવી છે, જ્યાં ધોરાજીમાં તાજીયા જુલુસ સમયે 15 લોકોને કરંડ લાગ્યો હતો, જેમાંથી 2 લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ ગંભીર છે. ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજીયા ઉપાડતી વખતે 15 જેટલા લોકોને કરંટ લાગ્યો હતો, જેમને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3ની હાલત ગંભીર કહેવાઈ હતી, જેમાંથી સાજીદ જુમા શંધી અને જૂનૈદ હનીફના મોત થઈ ગયા છે.

ઝારખંડમાં પણ હાઇટેન્શન તારની ચપેટમાં આવવાથી તાજિયામાં બ્લાસ્ટ, 4ના મોત

ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મુહર્રમનો જુલૂસ કાઢવા દરમિયાન મોટો અકસ્માત થઈ ગયો. ત્યાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવવાથી કુલ 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા, જેમાંથી 4 લોકોના મોત થઈ ગયા, જ્યારે 9 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બોકારોના બેરમો વિસ્તારના ખેરકોમાં આ ઘટના સવારે લગભગ 5:30 વાગ્યે થઈ. બધા મુહર્રમમાં તાજિયા લઈને જઈ રહ્યા હતા, ત્યારે તે 11,000 વૉલ્ટના તારની ઝપેટમાં આવી ગયા.

ઘટના દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, તાજિયા ઉઠાવવા દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી 11 હજાર વૉલ્ટની હાઈટેન્શન લાઇટ તાજિયા સાથે લાગી લઈ, જેના કારણે તાજિયામાં રાખેલી બેટરી બ્લાસ્ટ થઈ ગઈ, લોકોએ તાત્કાલિક બધા ઇજાગ્રસ્તોને DVC બોકારો થર્મલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા, તો લોકોએ હૉસ્પિટલમાં એબ્યુલન્સ ન હોવા અને અવ્યવસ્થાને લઈને ખૂબ હોબાળો કર્યો. જો કે, ત્યારબાદ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બબાદ બોકારો મોકલવામાં આવ્યા.

તો હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન હોવાના કારણે ઇજાગ્રસ્તોન સ્વજનોએ ભારે હોબાળો કર્યો, ત્યારબાદ બધા પોત પોતાના સાધનાથી બોકારો BGH પહોંચ્યા. આ બધાની સારવાર ચાલી રહી છે. હૉસ્પિટલમાં ઇજાગ્રસ્તોના સ્વજન સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પહોંચ્યા છે. ઘટના બાબતે ખેતકોના સરપંચ શબ્બીર અન્સારીએ જણાવ્યું કે, સવારે લગભગ 5:30 વાગ્યે ઉપરદરગાહ ટોલામાં મળવા માટે તાજિયા ફેરવવામાં આવી રહ્યા હતા. તાજિયા ફેરવવાના ક્રમમાં ઉપરથી જઈ રહેલા હાઈટેન્શન તાર સાથે લાગી ગયા. જોરદાર અવાજ સાથે ઘણા લોકો ગંભીર રૂપે દાઝી ગયા.

તેમણે આગળ જણાવ્યું કે, ખેતકો શિવ મંદિર પાસે 4 તાજિયાનું મિલન થાય છે, જે અલગ અલગ જગ્યાઓથી ફરતા શિવ મંદિર પાસે મળવા પહોંચે છે. અહીં પહોંચનારામાં દરગાહ ટોલા, પારટાંડ, નીચે મોહલ્લા અને ઉપરદરગાહ ટોલાના તાજિયા મળે છે, જેમાં ઉપર દરગાહ ટોલામાં અકસ્માત થઈ ગયો છે. મૃતકોની ઓળખ આસિફ રઝા (ઉંમર 21 વર્ષ), એનામૂલ રબ (ઉંમર 35 વર્ષ), ગુલામ હુસેન (18 વર્ષ), સાજિદ અન્સારીના રૂપમાં થઈ છે.

તો સાલુદ્દીન અન્સારી, ઈબ્રાહીમ અન્સારી, લાલ મોહમ્મદ, ફિરદોસ અન્સારી, મેહતાબ અન્સારી, આરીફ અન્સારી, શાહબાજ અન્સારી, મોજોબિલ અન્સારી અને સાકીબ અન્સારીની સારવાર બોકારો જનરલ હૉસ્પિટલમાં ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.