રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી જતા, 3 દોસ્તાર સહિત 4ના મોત

પડધરી નજીક તરઘડી ગામ પાસે મોડીરાતે ટ્રેકટર પાછળ કાર અથડાતા રાજકોટના બે યુવાન, કાર ચાલક અને ફતેપુરના ટ્રેકટર ચાલક સહિત ચારના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ગમખ્વાર અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો છે. ઘટના સ્થળે પોલીસ સ્ટાફ પહોચી હાઇવે પર ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ફતેપુરના કિરીટભાઇ લીંબાભાઇ ડોબરીયા નામના 40 વર્ષના પટેલ યુવાન પોતાનું ટ્રેકટર લઇને પડધરી તરફ જઇ રહ્યા હતા ત્યારે પાછળથી પુર ઝડપે ઘસી આવેલી કારના ચાલકે આગળ જતું ટ્રેકટર ન દેખાતા ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

કારમાં બેઠેલા મુળ લીલી સાજળીયાળીના વતની અને રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેતા અજય પ્રવિણભાઇ જોષી (ઉ.વ.28), કાલાવડ રોડ પર રહેતા અજય છગનભાઇ પરમાર (ઉ.વ.20), જામનગર ઠેબા ચોકડી પાસે રહેતા કાર ચાલક હિમાન્શુ પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.32) અને ફતેપુરના ટ્રેકટર ચાલક કિરીટભાઇ લીંબાભાઇ ડોબરીયા (ઉ.વ.40)ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે.

તરઘડી પાસે મોડીરાતે આગળ જતા ટ્રેકટરની ટોલીમાં પાછળની લાઇટ ન હોવાથી પુર ઝડપે જઇ રહેલા કાર ચાલક હિમાન્શુ ઉર્ફે નુર પરમારને ટ્રેકટર દેખાયુ ન હોવાથી ધડાકાભરે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની તિવ્ર ગતિના કારણે ટ્રેકટરની ટોલી છુટી પડી ગઇ હતી અને ટ્રેકટર પલ્ટી ખાતા ટ્રેકટર ચાલક કિરીટભાઇ ડોબરીયાનું મોત નીપજ્યું હતું.

અકસ્માતના કારણે તરઘડી પાસે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હોવાની પોલીસને જાણ થતા પી.એસ.આઇ. એમ.ડી.મકવાણા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ દાફડા, કુલદીપસિંહ ઝાલા અને રણજીતભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ચારેય યુવકના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસે કારમાં બેઠેલા ત્રણેય યુવકના મોબાઇલના કોલ ડીટેઇલના આધારે મેળવી ત્રણેય મૃતકના પરિવારને જીવલેણ અકસ્માત અંગેની જાણ કરી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.