‘કંપની પે આગ લગી હૈ,ફાયરબ્રીગેડ ભેજો’ 7000 પગારવાળાએ શેઠનો 11 કરોડનો માલ ફૂંક્યો

PC: khabarchhe.com

જય હિન્દ સર, મેં આપકી કંપની સે સિક્યોરિટી બોલ રહા હું. ઓર આપકી કંપની પે આગ લગી હે, આપ જલ્દી સે ફાયર બ્રિગેડ ભેજે. ભરૂચની નર્મદા પેકેજીંગના શેઠની બે કંપનીને ફૂંકી મારી 11 કરોડનું નુકશાન પહોંચાડનાર અને 11 કર્મચારીઓના જીવ જોખમમાં મુકનાર કોલ કરનાર સિક્યોરીટી ગાર્ડ જ આગ લગાડનાર CCTV માં નીકળ્યો છે.

ભરૂચના ઉધોગનગર ભોલાવમાં 22 માર્ચે સવારે નર્મદા પેકેજીંગ અને એજ પરિવારની આશાપુરા ટ્રેડિંગમાં લાગેલી ભયાનક આગમાં 7 હજારનો સિક્યોરિટીવાળો જ શેઠના 11 કરોડ ફૂંકીનાર હોવાનું તીસરી આંખ અને પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ઝાડેશ્વર રોડ શ્રીજી સદન લક્ષ્મીનારાયણ બિલ્ડીંગમાં રહેતા મહેશ શંકરલાલ નારાયણજી ભાનુશાલીની ભરૂચ GIDC ભોલાવ ફૈઝ -2 માં નર્મદા પેકેજીંગ નામની ફેક્ટરી આવેલી છે. જેમાં પ્લાસ્ટીકની યુરીયા ખાતર, ઘઉં ભરવાની બેગ બનાવવાનું તથા ટાર્સોલીન ( તાડ પત્રી ) બનાવવાનું કામ કરવામાં આવે છે. તેની બરાબર બાજુમાં તેમના પિતાજી શંકરલાલના નામે આશાપુરા ટ્રેડીંગ નામનો યુનિટ છે. જેમાં પ્લાસ્ટીક ગોડાઉન, બેગ – સેક્રિગેશન તથા બનાવેલી તાડપત્રી અને રોલ ઘટનામાં બન્ને ફેક્ટરીના બિલ્ડીંગ અને માલ સંપુણ રીતે બળી જતા આશરે 11 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

ઉપરાંત ફેક્ટરીની સામે પાર્ક કરેલી કાર પણ સંપુર્ણ પણે સળગી ગઈ હતી. બાજુમાં આવેલ અંબિકા એન્ટરપ્રાઇઝની લોખંડના પતરાની ફેન્સીંગ સહિત બિલ્ડીંગને સામાન્ય નુકશાન થયું હતું. ભીષણ આગમાં ફેક્ટરીમાં રહેતા લોકો સમયસર બહાર નિકળી ગયા ન હોત તો તેઓ પણ ફેક્ટરીની અંદર સળગીને મરી જાત તેવું જાણવા છતા સિક્યોરીટી ગાર્ડે આગ લગાડી હતી.

સી ડિવિઝન પોલીસે સિક્યોરીટી ગાર્ડની ધરપકડ કરી તેને ક્યાં કારણોસર અને કેમ આગ લગાડી તેમજ અન્ય કોઈ આ ઘટનામાં સડોવાયેલું છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp