રાજકોટઃ તને ના પાડી છતાં શેરીમાંથી કેમ નીકળે છે? કહી યુવકને છરીથી રહેસી નાખ્યો

રંગીલુ રાજકોટ ફરી એકવાર રક્તરંજિત થયું છે. જેમાં આંબેડકરનગરમાં યુવાનને જૂની અદાવતનો ખાર રાખી આઠ શખ્સોએ સરાજાહેર રહેસી નાખ્યો હતો. મૃતકના શેરીમાંથી નીકળવાની ના પાડી આઠ શખ્સોએ કાર અને સ્કુટરમાં પીછો કરી છરીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે ઘટનાના પગલે બે શકમંદોને ઉઠાવી પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળા મેઈન 2ોડ પ2 સ્વામી નારાયણ સ્કૂલ સામે રહેતો અને મનપાના ઢોરડબ્બામાં કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટ બેઈઝથી કામ કરતો સિદ્ધાર્થ ઉર્ફે 2ઘો જીવણભાઈ મકવાણા (ઉ.વ.22) આજે મોડી રાત્રે 80 ફુટ રોડ નજીક આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં.1 નજીક હતો ત્યારે ગોપાલ કલા ગોહેલ, ભમો ઉર્ફે જીજ્ઞેશ પુંજા ગોહેલ, ધર્મેશ કનું ગોહેલ, હિતેશ કનુ ગોહેલ, આનંદ ઉર્ફે કાળુ રવિ મૂછડિયા, મયુર ઉર્ફે એમ.ડી. વિનુ દાફડા, નિતિન રવિ મુછડિયા અને મોહિત ઉર્ફે બન્ની સુરેશ પરમાર સહિતના શખ્સોએ તેના પર છરી વડે ઘાતક હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.

108ને જાણ કરાતા સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. જેના તબીબે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં થોરાળા પૉલીસ મથકના પી.આઈ. ડો.એલ.કે.જેઠવા સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતક સિદ્ધાર્થ ઉર્ફે રઘો મકવાણાના બનેવી સુનીલ નાથાભાઈ ચાવડાની ફરિયાદના આધારે પોલીસે આઠ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથઘરી બે શકમંદોને ઉઠાવી લઈ તેની પૂછરછ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

થોરાળા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક સિદ્ધાર્થ ઉર્ફે રધો અને તેના મિત્ર નિખિલ ઉર્ફે નાથો પ્રવીણભાઈ સોલંકીને અગાઉ બે માસ પહેલા હત્યારાઓ સાથે માથાકૂટ થઈ હતી. જેનો ખાર રાખી ગઇ કાલે રાત્રીના આઠેય શખ્સોએ સિદ્ધાર્થ ઉર્ફે રઘા મકવાણાનો કાર અને સ્કૂટરમાં પીછો કર્યો હતો. અને તે દરમિયાન આરોપીઓએ “તને ના પાડી છતાં શેરીમાંથી કેમ નીકળે છે?, અને તારો મિત્ર નિખિલ ક્યાં છે?” તેમ કહી ગાળો ભાંડી હતી.

ત્યારે સિદ્ધાર્થ મકવાણાએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગોપાલ ગોહેલ, ભમો ઉર્ફે જીજ્ઞેશ ગોહેલ, ધર્મેશ ગોહેલ, હિતેશ ગોહેલ, આનંદ ઉર્ફે કાળુ મુછડિયા, મયુર ઉર્ફે એમ.ડી.દાફડા, નીતિન મુછડિયા અને મોહિત ઉર્ફે બન્ની મુછાડિયાએ પીછો કરી આંબેડકરનગર -1માં અજય વે બ્રિજ પાસે આઠેય શખ્સોએ તેને ઘેરી લઈ માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે હત્યાની ઘટનાની નોંધ કરી આરોપીની શોધખોળ હાથધરી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.