જૂનાગઢમાં રમતા-રમતા બાળકે ઝેરી દવા પીધી, થયું મોત

જૂનાગઢમાં માતા-પિતા માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં, કેશોદના ખીરસરા ગામમાં બાળકે રમતા રમતા ભૂલથી ઝેરી દવા પીધી હતી. આથી બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી મુજબ, જૂનાગઢના કેશોદના ખીરસરા ગામમાં આયતબા અહમદ નામનું બાળક તેના મામાના ઘરે આવ્યું હતું. દરમિયાન રમતા રમતા તેને ભૂલથી ઝેરી દવા પીધી હતી. દવા પીધા પછી બાળકને ઉલટી થવા લાગી હતી અને તે બેભાન થયું હતું. આથી પરિવારજનો બાળકને નજીકની હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. આ મામલે સ્થાનિક પોલીસને પણ જાણ કરાઈ હતી. આથી પોલીસ ટીમનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે પરિવારજનોની પૂછપરછ આદરી હતી.

આ મામલે પોલીસે બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જ્યારે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બાળકના આકસ્મિક મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ છે. ત્યારે બાળકોને એકલા રમતા મૂકી દેતા માતા-પિતા માટે પણ આ એક ચેતવણી સમાન ઘટના છે.  

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.