ઘૂંટણની નવા પ્રકારની સર્જરી પહેલીવાર સુરતમાં

ટક્સપ્લાસ્ટી – વિટામીન ઇ પોલી સાથે નવા પ્રકારની પાર્શીયલ ની રિપ્લેસમેન્ટ સર્જરી દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે કરવામાં આવી. ટક્સપ્લાસ્ટી એ વિટામીન ઇ પોલી સાથે પાર્શીયલની રિપ્લેસમેન્ટ સર્જરીનો નવો પ્રકાર છે. દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર શેલ્બી હોસ્પિટલ, સુરત ખાતે આ સર્જરી કરવામાં આવી હતી. શેલ્બીના સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મનુ શર્મા દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી. પરંપરાગત પાર્શીયલની રિપ્લેસમેન્ટ યુનિકમ્પાર્ટમેન્ટલની રિપ્લેસમેન્ટ, યુનિકોન્ડીલરની રિપ્લેસમેન્ટ અને માઇક્રોપ્લાસ્ટી જેવા વિવિધ નામો દ્વારા ઓળખાય છે.

ટક્સપ્લાસ્ટીમાં ઉપયોગમાં લેવાતા વિટામીન ઇ પોલી જોઈન્ટ ઈમ્પ્લાન્ટના આયુષ્યમાં ઘણો વધારો કરે છે કારણ કે તેમાં ઘસારાનો દર બહુ ઓછો હોય છે. ઘૂંટણના માત્ર એક ભાગને નુકસાન થયું હોય અને તેના રિપ્લેસમેન્ટની જરૂર પડે ત્યારે ટક્સપ્લાસ્ટી એ આદર્શ સર્જરી છે. તે પાર્શીયલ (આંશિક)ની રિપ્લેસમેન્ટ સર્જરીનો એકમાત્ર પ્રકાર છે જે ભારતમાં વિટામિન ઇ પોલી નો ઉપયોગ કરે છે. 60 વર્ષના દર્દી સવિતાબેન કોરીંગાનો કેસ એ ટક્સપ્લાસ્ટી માટે એક આદર્શ કેસ હતો કારણ કે તેમને ડાબા ઘૂંટણના માત્ર એક ભાગને નુકસાન થયું હતું.

શેલ્બી હોસ્પિટલ્સના સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. મનુ શર્માએ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ટક્સપ્લાસ્ટી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સવિતાબેનના ઘૂંટણને મર્યાદિત નુકસાન થયું હતું અને તેથી અમે તેમના કેસમાં ટક્સપ્લાસ્ટી કરવાનું નક્કી કર્યું. ટક્સપ્લાસ્ટી માં તાહો યુનિકોન્ડીલરની સિસ્ટમ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ થાય છે. તેને વિસ્તૃત રિસર્ચ અને ડેવલપમેન્ટના પ્રયાસોથી USAમાં શેલ્બી એડવાન્સ ટેક્નોલોજીના ઈમ્પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં વિકસાવવામાં આવ્યું હતું. અમેરિકાના વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનોએ આ અનોખા જોઈન્ટ ઈમ્પ્લાન્ટ વિકસાવવા માટે ઈમ્પ્લાન્ટ ડેવલપર્સ સાથે સહયોગ કર્યો. તેના ઘણા વધારાના ફાયદા પણ છે, જેમ કે તેમાં ઘણો નાનો ચીરો મુકવો પડે છે, બહુ ઓછા સમય માટે હોસ્પિટલમાં રહેવું પડે છે, હાડકાંનો ન્યૂનતમ ભાગ દૂર કરાય છે, ઘૂંટણના સ્વસ્થ ભાગોમાં કોમલાસ્થિ અને અસ્થિબંધનનું જતન થાય છે, ઓછામાં ઓછો બ્લડ લોસ, ઝડપી સાજા થવું, ચેપ લાગવાનો કે લોહીના ગંઠાવાનું ઓછામાં ઓછું જોખમ રહે છે અને સર્જરી પછી ઝડપથી રિકવરી આવે છે. દર્દી લગભગ એક સપ્તાહમાં સક્રિય જીવનશૈલી માણી શકે છે. ભારતમાં તેનો એક અલગ ફાયદો એ છે કે આ સર્જરી પછી લોકો પલાંઠી વાળીને બેસી શકે છે જ્યારે ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં આવું કરવું સલાહભર્યું નથી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.