બાળકો-સગીરોના સ્ટંટ માટે તેમના માતાપિતા-પરિવાર સામે પણ કાર્યવાહી થશેઃ હર્ષ સંઘવી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે બાઈક કે કાર લઈને જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ તેના માતાપિતા અને પરિવાર પણ આ પ્રકારના સ્ટંટ માટે એટલા જ જવાબદાર ગણી તેમની સામે પણ કાર્યવાહી કરાશે.
ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, સુરતના જિલાની બ્રિજ પર સર્પાકાર મોપેડ ચલાવીને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મૂકનાર રાંદેરના ત્રણ સગીરો અને તેના પિતા સામે કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે, રાંદેર પોલીસની આ કામગીરી સરાહનીય છે. કારણ કે જોખમી સ્ટંટથી અન્ય નિર્દોષ પરિવારોએ પોતાના વ્હાલસોયા સંતાનો ગુમાવ્યા છે અને આજીવન પીડા અને દુઃખની ગર્તામાં ધકેલાઈ જાય છે. જેથી રાજ્યમાં આ પ્રકારની કડક કાર્યવાહી શરૂ રહેશે.
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે,તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કાયદો શું છે તેનું ભાન કરાવવામાં આવશે, બંને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશની સામે બળાત્કારનો ગુનો નોંધાયેલો છે.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તથ્યના પિતા ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને બુધવારે પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે જઇને લોકો સાથે માથાકુટ કરી હતી. પોતાની દીકરાની ભૂલ કબુલવાને કારણે ઉલટા ચોર કોટવાલ કો દાટે ની જેમ પ્રજ્ઞેશે અકસ્માત સ્થળે લોકોને ધમકાવ્યા હતા. લોકોને ધમકાવ્યા તેના માટે પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવશે. સંઘવીએ આગળ કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે 5 PI, 3થી વધારે DCPને જોડવામાં આવ્યા છે. ઘટનાનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં મળી જશે અને આવતીકાલે સાંજ પહેલા પોસ્ટમોર્મટનો રિપોર્ટ આવી જશે.
હર્ષ સંઘવીએ કહ્યું કે એક સપ્તાહની અંદર ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આને અમે એક અતિગંભીર કેસ તરીકે લઇ રહ્યા છીએ. બંને બાપ દીકરાએ 9 પરિવારોની ખુશી છીનવી લીધી છે, તેમના માળા વેરવિખેર કરી નાંખ્યા છે અને પાછો પિતા ઘટના સ્થળે જઇને દાદાગીરી કરે છે. તેમને કાયદાનું ભાન કરાવવું જ પડશે.હર્ષ સંઘવીએ કહ્યું કે મને એ વાતનું દુખ છે કે આ વ્યકિત પાસે વકીલની ડીગ્રી છે.
રાજ્યના ગૃહ મંત્રીએ કહ્યું કે, મારે દરેક માતા-પિતાને વિનંતી સાથે કહેવું છે કે તમારા બાળકોને રસ્તાનું ભાન કરાવો, રસ્તો લોકોના વાહન ઉપયોગ માટે છે એ રેસીંગ ટ્રેક નથી તેનું તમારા બાળકોને ભાન કરાવો. તમારા બાળકોના મોજશોખમાં નિદોર્ષોના જીવ જાય તે ચલાવી શકાય નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp