અંબાજી મોહનથાળ પ્રસાદનો મામલો વકર્યો, કોંગ્રેસે કહ્યુ- ચીક્કી માફિયાઓને ફાયદો...

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ વર્ષોથી માઇ ભક્તોને આપવામાં આવે છે. જે પણ ભક્ત અંબાજી મંદિરે દર્શન કરવા આવે છે તે અચૂક પણે મોહનથાળનો પ્રસાદ લે છે. કેટલાક ભક્તો તો મોહનથાળના પ્રસાદ લીધા વિના અંબાજીની યાત્રાને અધૂરી માને છે. ત્યારે હવે, ભક્તોની શ્રદ્ધા સાથે સંકળાયેલ મોહનથાળના પ્રસાદને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે, આ નિર્ણય બાદ વિવાદ વકર્યો છે.

માહિતી મુજબ, સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રતિનિધિ મંડળ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અંબાજી મંદિરે પહોચ્યા હતા. અહીં, તેમણે મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલે મંદિરે પહોંચી સૌથી પહેલા માતાજીના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ મીડિયા સાથે વાત કરી કહ્યું હતું કે, ચીક્કી માફિયાઓ અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવા માટે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ, મોહનથાળનો પ્રસાદ બંધ કરાવતા કરોડો લોકોમાં રોષની લાગણી છે.

મીડિયા અહેવાલ મુજબ, તેમણે આગળ કહ્યું કે, સત્તાધીશોના આ નિર્ણયથી અંબાજીમાં 300 જેટલી બહેનોની રોજગારી પર જોખમ વધ્યું છે. આ સાથે પ્રતિનિધિ મંડળે બનાસકાંઠા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા મોહનથાળના પ્રસાદ અંગે લેવાયેલા નિર્ણયનો વિરોધ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે અંબાજી મંદિરમાં ભક્તોને મોહનથાળનો પ્રસાદ આપવાની જૂની પરંપરા જાળવી રાખવા માગ કરી છે. આ સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા 108 વાર જય અંબેની ધૂન બોલાવી આદેવન પત્ર આપવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.