અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ ભૂકંપના આંચકા પર કાર્યવાહી કરવા CMને લેટર લખ્યો

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં આવી રહેલા વારંવાર ભૂકંપના પગલે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા બાબતે અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીત રજુઆત કરી છે.

સાંસદે કરેલી રજુઆત મુજબ અમરેલી જીલ્લાના મીતીયાળા પંથકમાં ગત તા. 23 તારીખને ગુરુવારના રોજ સવારે અને ત્યારબાદ રાત્રે ભૂકંપનો આંચકો નોંધાયા બાદ બીજા દિવસે એટલે કે તા. 24 ના રોજ પણ બપોર પછી ફરીથી ભૂકંપનો આંચકો નોંધાયેલો હતો. ફકત બે દિવસમાં જ ત્રણ વખત 3 થી વધુની તીવ્રતાવાળા આંચકાઓ અનુભવાયેલા હોવાના લીધે સાવરકુંડલા અને ખાંભા તાલુકાના મીતીયાળા પંથક આસપાસના ગામોના ગ્રામજનોમાં ખૂબ જ ભયની લાગણી વ્યાપી જવા પામી છે.

મીતીયાળા પંથકમાં છેલ્લા ત્રણ માસથી સતત ભૂકંપના આંચકોઓ નોંધાઈ રહ્યા છે અને એક જ દિવસમાં છ જેટલા આંચકાઓ આવેલા હોવાનું પણ બન્યું છે. તેમજ આ પંથકમાં ભૂકંપ અનુભવાયેલા ન હોય તેવુ એક પણ અઠવાડિયું ખાલી ગયેલું નથી. જેના લીધે લોકો રાત્રે નીરાંતે ઉંઘી પણ શકતા નથી. સાંસદે રજુઆત કરતા વધુમાં જણાવેલું હતુ કે, છેલ્લા બે દિવસમાં આંચકોઓની તીવ્રતામાં થયેલા વધારાને લીધે મીતીયાળા તેમજ આસપાસના ગામોના લોકોમાં ખૂબ જ ગભરાટ ફેલાયેલો છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.