અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ ભૂકંપના આંચકા પર કાર્યવાહી કરવા CMને લેટર લખ્યો

PC: twitter.com

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં આવી રહેલા વારંવાર ભૂકંપના પગલે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા બાબતે અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીત રજુઆત કરી છે.

સાંસદે કરેલી રજુઆત મુજબ અમરેલી જીલ્લાના મીતીયાળા પંથકમાં ગત તા. 23 તારીખને ગુરુવારના રોજ સવારે અને ત્યારબાદ રાત્રે ભૂકંપનો આંચકો નોંધાયા બાદ બીજા દિવસે એટલે કે તા. 24 ના રોજ પણ બપોર પછી ફરીથી ભૂકંપનો આંચકો નોંધાયેલો હતો. ફકત બે દિવસમાં જ ત્રણ વખત 3 થી વધુની તીવ્રતાવાળા આંચકાઓ અનુભવાયેલા હોવાના લીધે સાવરકુંડલા અને ખાંભા તાલુકાના મીતીયાળા પંથક આસપાસના ગામોના ગ્રામજનોમાં ખૂબ જ ભયની લાગણી વ્યાપી જવા પામી છે.

મીતીયાળા પંથકમાં છેલ્લા ત્રણ માસથી સતત ભૂકંપના આંચકોઓ નોંધાઈ રહ્યા છે અને એક જ દિવસમાં છ જેટલા આંચકાઓ આવેલા હોવાનું પણ બન્યું છે. તેમજ આ પંથકમાં ભૂકંપ અનુભવાયેલા ન હોય તેવુ એક પણ અઠવાડિયું ખાલી ગયેલું નથી. જેના લીધે લોકો રાત્રે નીરાંતે ઉંઘી પણ શકતા નથી. સાંસદે રજુઆત કરતા વધુમાં જણાવેલું હતુ કે, છેલ્લા બે દિવસમાં આંચકોઓની તીવ્રતામાં થયેલા વધારાને લીધે મીતીયાળા તેમજ આસપાસના ગામોના લોકોમાં ખૂબ જ ગભરાટ ફેલાયેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp