ગુજરાતના ડે.સરપંચની હત્યાના સાક્ષી દલિત યુવકની હત્યા, MLA મેવાણીએ જુઓ શું કહ્યું

ગુજરાતના બોટાદ જિલ્લામાં 4 વર્ષ પહેલાં એક વ્યકિતની હત્યા સાથે જોડાયેલા કેસમાં સાક્ષી રહેલા 46 વર્ષના વ્યકિતની પણ હત્યા કરી દેવામાં આવી છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીઓના સગાસંબંધીઓએ મુખ્ય સાક્ષીની હત્યા કરી દીધી છે. પોલીસે જણાવ્યું છે કે કથિત 3 હુમલખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બાગડ ગામ પાસે 6 સપ્ટેમ્બરના દિવસે હથિયરધારી 7 માણસોએ અનુસૂચિત જાતિના રાજેશ મકવાણા પર હુમલો કર્યો હતો. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બલોલિયાએ જણાવ્યું હતું કે મકવાણાનું 14 સપ્ટેમ્બરની રાત્રે ભાવનગર શહેરની હોસ્પિટલમાં અવસાન થયું હતું. 2019માં જે દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી તે જડીલા ગામનો ડેપ્યુટી સરપંચ હતો.

દલિત યુવકની હત્યા પર કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્રોશ વ્યક્ત કરીને કહ્યું છે કે ગુજરાતમાં અમારા દલિત લોકો એક મોતનો ન્યાય મેળવે એટલીવારમાં બીજા દલિતની હત્યા થઇ જાય છે.

દલિત અધિકાર સંગઠન 'રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ'ના સભ્યોએ સ્થાનિક પોલીસને આવેદનપત્ર આપ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મકવાણાના મૃતદેહને ઘરે લઈ જવામાં આવશે નહીં. સંગઠને એવો પણ દાવો કર્યો હતો કે મકવાણાની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેણે 15 દિવસ પહેલા જ 2019ના એક હત્યા કેસમાં નીચલી કોર્ટમાં જુબાની આપી હતી.

પ્રારંભિક તપાસમા જાણા મળ્યું છે કે OBC સમુદાયમાંથી આવતા હુમલાખોરની દલિત સામાજિક કાર્યકર મંજીભાઇ સોલંકીની હત્યા કેસમાં સાક્ષી બનવાને કારણે રાજેશ મકવાણા સાથે દુશ્મની હતી. મંજીભાઇ સોલંકી પડોશી જલીલા ગામમાં રહેતો હતો.

SPબલોલિયાએ જણાવ્યું હતું કે સોલંકી અને તેની પત્ની અને ગામના તત્કાલીન સરપંચ ગીતા સોલંકી અને આરોપીઓ વચ્ચે રાજકીય અદાવતના કારણે મંજીભાઇ સોલંકીની હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે રાજેશ મકવાણા પરના હુમલામાં કથિત રીતે સંડોવાયેલા લોકો સોલંકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આઠ લોકોના સગા છે.

SPએ ક્હયું કે રાજેશ મકવાણા પર કથિત રીતે ધીરુ ખાચર, તેના 3 પુત્રો અને 3 અજ્ઞાત લોકોએ 6 સપ્ટેમ્બરે હુમલો કર્યો હતો, જમાં મકવાણા ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગુરુવારે તેનું મોત થયું હતું. પોલીસે કહ્યું કે, ધીરુ ખાચરના ત્રણેય પુત્રોની ધરપકડ કરી લેવામાં આવી છે.જ્યારે ધીરુ ખાચર અને અન્ અન્ય 3 લોકો ફરાર છે અને હજુ સુધી પોલીસના હાથમાં આવ્યા નથી.

રાજેશ મકવાણાએ જ્યારે 6 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં જે નિવેદન આપ્યુ હતું તેને આધારે રણપુર પોલીસે ધીરુ ખાચર, તેના પુત્રો હરેશ, કિશોર અને રઘુ સામે ગુનો દાખલ કર્યો હતો.

SPએ કહ્યુ કે બાગડ ગામમાં મોટા પાયે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

રાજેસ મકવાણાના એક સંબંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે અમે SPની ટ્રાન્સફર અને બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી  માંગ કરીએ છીએ.

 ડેપ્યુટી સરપંચ અને 51 વર્ષના મંજીભાઇ સોંલકીની 19 જૂન 2019ના દિવસે હત્યા કરવામાં આવી હતી. મંજીભાઇની પત્ની ત્યારે ગામની સરપંચ હતી અને મંજીભાઇ પોતે જલીલા ગ્રામ પંચાયતના સભ્ય અને ડેપ્યુટી સરપંચ હતા. તેમની હત્યાના થોડા દિવસો પછી પોલીસે આ કેસમાં અશોક ખાચર, પ્રતાપ ખાચર, રૂતુરાજ ખાચર અને રવિરાજ ખાચર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.