ગુજરાતના ડે.સરપંચની હત્યાના સાક્ષી દલિત યુવકની હત્યા, MLA મેવાણીએ જુઓ શું કહ્યું

ગુજરાતના બોટાદ જિલ્લામાં 4 વર્ષ પહેલાં એક વ્યકિતની હત્યા સાથે જોડાયેલા કેસમાં સાક્ષી રહેલા 46 વર્ષના વ્યકિતની પણ હત્યા કરી દેવામાં આવી છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીઓના સગાસંબંધીઓએ મુખ્ય સાક્ષીની હત્યા કરી દીધી છે. પોલીસે જણાવ્યું છે કે કથિત 3 હુમલખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બાગડ ગામ પાસે 6 સપ્ટેમ્બરના દિવસે હથિયરધારી 7 માણસોએ અનુસૂચિત જાતિના રાજેશ મકવાણા પર હુમલો કર્યો હતો. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બલોલિયાએ જણાવ્યું હતું કે મકવાણાનું 14 સપ્ટેમ્બરની રાત્રે ભાવનગર શહેરની હોસ્પિટલમાં અવસાન થયું હતું. 2019માં જે દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી તે જડીલા ગામનો ડેપ્યુટી સરપંચ હતો.

દલિત યુવકની હત્યા પર કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્રોશ વ્યક્ત કરીને કહ્યું છે કે ગુજરાતમાં અમારા દલિત લોકો એક મોતનો ન્યાય મેળવે એટલીવારમાં બીજા દલિતની હત્યા થઇ જાય છે.

દલિત અધિકાર સંગઠન 'રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ'ના સભ્યોએ સ્થાનિક પોલીસને આવેદનપત્ર આપ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મકવાણાના મૃતદેહને ઘરે લઈ જવામાં આવશે નહીં. સંગઠને એવો પણ દાવો કર્યો હતો કે મકવાણાની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેણે 15 દિવસ પહેલા જ 2019ના એક હત્યા કેસમાં નીચલી કોર્ટમાં જુબાની આપી હતી.

પ્રારંભિક તપાસમા જાણા મળ્યું છે કે OBC સમુદાયમાંથી આવતા હુમલાખોરની દલિત સામાજિક કાર્યકર મંજીભાઇ સોલંકીની હત્યા કેસમાં સાક્ષી બનવાને કારણે રાજેશ મકવાણા સાથે દુશ્મની હતી. મંજીભાઇ સોલંકી પડોશી જલીલા ગામમાં રહેતો હતો.

SPબલોલિયાએ જણાવ્યું હતું કે સોલંકી અને તેની પત્ની અને ગામના તત્કાલીન સરપંચ ગીતા સોલંકી અને આરોપીઓ વચ્ચે રાજકીય અદાવતના કારણે મંજીભાઇ સોલંકીની હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે રાજેશ મકવાણા પરના હુમલામાં કથિત રીતે સંડોવાયેલા લોકો સોલંકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આઠ લોકોના સગા છે.

SPએ ક્હયું કે રાજેશ મકવાણા પર કથિત રીતે ધીરુ ખાચર, તેના 3 પુત્રો અને 3 અજ્ઞાત લોકોએ 6 સપ્ટેમ્બરે હુમલો કર્યો હતો, જમાં મકવાણા ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગુરુવારે તેનું મોત થયું હતું. પોલીસે કહ્યું કે, ધીરુ ખાચરના ત્રણેય પુત્રોની ધરપકડ કરી લેવામાં આવી છે.જ્યારે ધીરુ ખાચર અને અન્ અન્ય 3 લોકો ફરાર છે અને હજુ સુધી પોલીસના હાથમાં આવ્યા નથી.

રાજેશ મકવાણાએ જ્યારે 6 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં જે નિવેદન આપ્યુ હતું તેને આધારે રણપુર પોલીસે ધીરુ ખાચર, તેના પુત્રો હરેશ, કિશોર અને રઘુ સામે ગુનો દાખલ કર્યો હતો.

SPએ કહ્યુ કે બાગડ ગામમાં મોટા પાયે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

રાજેસ મકવાણાના એક સંબંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે અમે SPની ટ્રાન્સફર અને બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી  માંગ કરીએ છીએ.

 ડેપ્યુટી સરપંચ અને 51 વર્ષના મંજીભાઇ સોંલકીની 19 જૂન 2019ના દિવસે હત્યા કરવામાં આવી હતી. મંજીભાઇની પત્ની ત્યારે ગામની સરપંચ હતી અને મંજીભાઇ પોતે જલીલા ગ્રામ પંચાયતના સભ્ય અને ડેપ્યુટી સરપંચ હતા. તેમની હત્યાના થોડા દિવસો પછી પોલીસે આ કેસમાં અશોક ખાચર, પ્રતાપ ખાચર, રૂતુરાજ ખાચર અને રવિરાજ ખાચર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.