દેવાયત ખવડે જેલમાંથી બહાર આવી ડાયરો કરી ડાયલોગ માર્યો- મેં ઝૂકેગા નહીં...

લોકગાયક દેવાયત ખવડનો ભાવનગર ખાતે ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ ડાયરાનો પ્રથમ કાર્યક્રમ હતો ત્યાં ડાયરા વચ્ચે કહ્યું હતું કે, મેં ઝૂકેગા નહીં, હકીકતમાં મારામારીના કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ લોકો સમક્ષ આ વાત કહી બડાઈ હાંકી હતી. એક તરફ રાજકોટમાં મારામારી મામલે ભારે વિવાદ બાદ ફરીયાદ થઈ હતી અને અગાઉ કોર્ટમાં બેથી ત્રણ વખત જામીન માંગ્યા બાદ કોર્ટે રાજકોટમાં ના આવવાની શરતે શરતી જામીન આપ્યા છે. ત્યારે ભાવનગરના ડાયરામાં દેવાયત ખવડે આ વાત કહી હતી.

લોકગાયક દેવાયત ખવડને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી મંજૂર કરી છે. ઘણા સમયથી જેલમાં બંધ દેવાયત ખવડને શરતી જામીન આપવામાં આવ્યા છે. 6 મહિના સુધી રાજકોટમાં ના પ્રવેશવાની શરતે આ જામીન આપવામાં આવ્યા છે. 72 દિવસના જેલવાસ બાદ ખવડ ફિલ્મી ડાયલોગના અંદાજમાં જોવા મળ્યો હતો. હકીકતમાં આ કેસની વાત કરીએ તો, રાજકોટના સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ પર ગત 7 ડિસેમ્બરના રોજ હુમલો કર્યો હતો.

આ ઝઘડો જૂની અદાવતમાં થયો હતો. દેવાયત ખવડ તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી વાયરલ થયા હતા. આ મામલે દેવાયતની ધરપકડ ના થતા પોલીસ સામે પણ અગાઉ સવાલ ઉભા થયા હતા ત્યારબાદ સમગ્ર મામલે પીએમઓ સુધી ફરીયાદ કરાઈ હતી ત્યારે આખરે દેવાયત સામેથી હાજર થતા જેલવાસ 72 દિવસનો થયો હતો. એ પછી હવે જામીન મળતા દેવાયત લોકડાયરાના કાર્યક્રમો સ્ટેજ પર કરતા જોવા મળી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.