ગુજરાતના 5 ગામના ખેડૂતો અચોક્કસ મુદતની હડતાળ પર,કહ્યું- નહીં તો હીજરત કરવી પડશે

ઉત્તર ગુજરાતના પાટણના સાંતલપુર તાલુકાના 5 ગામના ખેડુતોએ પાણીના મુદ્દે અચોક્કસ મુદતની ભુખ હડતાળ શરૂ કરી છે. ખેડુતોએ કેનાલમાં સિંચાઇના પાણીની માંગ સાથે વારાહી મામલતદાર કચેરી પર ધરણાં શરૂ કર્યા છે. ખેડુતોનું કહેવું છે કે જો અમારી માંગ સ્વીકારમાં નહીં આવશે તો અમારે હિજરત કરવી પડશે.

5 ગામના ખેડુતોએ અચોક્કસ મુદત માટે ભુખ હડતાળ શરૂ કરી છે. ખેડુતોનું કહેવું છે કે આ વિસ્તારમાં કેનાલ બનાવી ત્યારથી લઇને આજ સુધી ખેડુતોને પાણી મળતું નથી, જેને કારણે ખેડુતોની હાલત કફોડી બની ગઇ છે.

જાણવા મળેલી વિગત મુજબ ખેડુતો આર્થિક રીતે સદ્ધર બને તેના માટે સરકારે છેવાડાના ખેડુતો માટે નર્મદાની કેનાલો બનાવી હતી. જેને કારણે દરેક સિઝનમાં ખેડુતોને સિંચાઇ માટે સમયસર પાણી મળી રહે. ખેડુતોને પાણી સમયયર મળે તો તેઓ વર્ષમાં બેથી ત્રણ વખત અલગ પાકની ઉપજ મેળવીને આર્થિક રીતે સદ્ધર બની શકે.

ખેડુતોનું કહેવું છે કે સરકારે તો યોજના બનાવી, પરંતુ સિંચાઇ વિભાગના અણઘડ વહીવટને કારણે પાટણ જિલ્લાની કેનાલોની અનેક યોજનાઓ માત્ર કાગળ પર જ રહી ગઇ છે. પાણી નહીં મળવાને કારણે ખેડુતોની આશાઓ પર પાણી ફરી રહ્યું છે.

આ વાતથી પરેશાન સાંતલપુર તાલુકાના દહીંગામડા, પરશુંદ, છાણસરા, સીધાડાના ખેડુતોએ વારાહી મામલતદારની ઓફિસે ભુખ હડતાળ શરૂ કરી છે.

ખેડુતોએ કહ્યુ કે પરસુંદ ડિસ્ટ્રીક કેનાલ બની ગઇ છે, પરંતુ ખેડુતોએ આજ દિવસ સુધી આ કેનાલમાં પાણી જોયું નથી. ખેડુતોની હાલત દયનીય એટલા માટે બનવા પામી છે કે, પાણીનો બીજો કોઇ પાણીનો સ્ત્રોત નથી. મતલબ કે ખેડુતોએ માત્ર ચોમાસા જ પર આધાર રાખવો પડે છે. જો વરસાદ સારો થયો તો ઠીક, નહીં તો ખેતરો વાવેતર કર્યા વગર વેરાન પડી રહે છે.

ખેડુતોએ કહ્યુ કે, હવે ગળે આવી ગયા છીએ. અમારી પાસે હવે હિજરત કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. અમે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરીને સરકાર પાસે માગં કરી રહ્યા છે કે અમારી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે, નહીં તો અમારે ગામ છોડવા પડશે.

ગુજરાત ભલે સમૃદ્ધ રાજ્ય હોવા છતા ખેડુતોના આંદોલન વખતોવખત ચાલતા જ રહે. જગતના તાતની મુશ્કેલીનો અંત જ આવતો નથી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.