ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ'નું મુંબઈમાં વિમોચન

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ઉદ્યોગપતિ, પર્યાવરણવાદી અને લેખક વિરલ દેસાઈના પુસ્તક 'અર્કિટેક્ટ ઑફ અમૃતપથ'નું મુંબઈ ખાતે વિમોચન યોજવામાં આવ્યું હતું, જ્યાં 22થી વધુ કૉલેજો ધરાવતી મુંબઈની ખ્યાતનામ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટી ખાતે મુંબઈના શિક્ષણ જગતના દિગ્ગજો વચ્ચે પુસ્તકનું લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે 'ભારતના ઇતિહાસમાં જે બે નરેન્દ્રોએ વિશ્વમાં ભારત અને ભારતીયતાનો ડંકો વગાડ્યો હતો એ બંને નરેન્દ્ર પરોક્ષ રીતે એક જ મંચ પર ઉપસ્થિત થયા છે, જ્યાં સ્વામી વિવેકાનંદ કૉલેજ વિવેકાનંદજીના વિચારોને સમર્પિત છે તો મારું પુસ્તક પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પર્યાવરણીય કાર્યો પર આધારિત છે.'

વિમોચન પ્રસંગ દરમિયાન વિરલ દેસાઈએ વક્તવ્યના માધ્યમથી કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ ભારતે ક્લાયમેટ એક્શનના ક્ષેત્રમાં શું શું મહત્ત્વની કામગીરી કરી છે, તેમજ ક્લાયમેટ એક્શનના ક્ષેત્રમાં કઈ રીતે ભારત દેશ વિશ્વગુરુ બન્યો છે એ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ'ના મુંબઈ વિમોચન દરમિયાન સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ચિરાગ દોશી, મુંબઈના આરજે જીતુરાજ, વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી રાજેશ ગેહાની તેમજ સંસ્થાના ડિરેક્ટર સતિષ મોઢ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈનું પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ' અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષાઓમાં એકસાથે પ્રકાશિત થયું હતું, જેને હાલમાં પર્યાવરણપ્રેમીઓ અને યુવાનો દ્વારા અત્યંત બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.