મોરબી બ્રિજ દૂર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને આપ્યો આ આદેશ

મોરબી બ્રિજ દૂર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો મૃતક પરીવારને વળતર મામલે આપવામાં આવ્યો છે. મૃતકના પરીવારને 10 લાખ વળતર આપવાનો આદેશ ઓરેવા ગ્રુપ કંપનીને આપવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં સતત સોમવારથી સુનાવણી ચાલતી હતી ત્યારે આજે બુધવારે ગુજરાત હાઈકોર્ટે મૃતક પરીવારને 10-10 વળતર આપવા તેમજ ઘાયલ પીડિતને 2-2 લાખ વળતર આપવા માટે આદેશ કર્યો છે. રુપિયાથી ગયેલા જીવની કિંતન ના કરી શકાય તેમ પણ ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું, આ સાથે વચગાળાનો આદેશ આપતા વળતરની સહાય ચુકવવા માટે કહ્યું છે. ઓરેવાએ કોર્ટના આદેશનું પાલન કરવું પડશે.

સમગ્ર દેશમાં હચમચાવનારી મોરબી કેબલ બ્રિજ દૂર્ઘટના બનતા ઓરેવા ગ્રુપ પર આંગળીઓ ચિંધવામાં આવી હતી. ઓરેવા ગ્રુપે જ બ્રિજનું સમારકામ કર્યું હતું ત્યારે ચાર્જસિટમાં જયસુખ પટેલનું નામ પણ મુખ્ય આરોપી તરીકે સામેલ છે ત્યારે કોર્ટે અત્યાર પુરતો વચગાળાનો આદેશ સહાય મામલે આપ્યો છે.

કોર્ટમાં મૃતક પરીવારને રુ. 5-5 લાખનું વળતર આપવાની તૈયારી દર્શાવી હતી. ગઈકાલે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી દૂર્ધટનામાં મૃતક પરીવારને 3.5 લાખ અને 1.5 લાખ ઘાયલ પીડિતોને ચૂકવવા માટે તૈયારી દર્શાવી હતી ત્યારે આજે 5 લાખના વળતરની તૈયારી દર્શાવ્યા બાદ વકીલ તરફથી એવું પણ રજૂઆત કરાઈ હતી કે, તેમની કેટલીક મર્યાદા છે. જો કે, હાઈકોર્ટ તરફથી આ મામલે વધુ સુનાવણી હાથ ધરાતા 10-10 લાખ મૃતક પરીવારને ચુકવવા આદેશ આપવામાં આવ્યો છે.

મોરબી દુર્ઘટનામાં 135 જેટલા લોકોનો જીવ ગયો છે. ત્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના સમગ્ર દેશમાં કંપારી કરી દે તેવી હતી. ત્યારે હાઈકોર્ટ દ્વારા આ મામલે સુઓમોટોનું સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીટની પણ ચરના કરવામાં આવી હતી. જેમાં જયસુખ પટેલ સહીતના તમામ આરોપીઓ અત્યારે જેલમાં છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.