સુરતમાં હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ નિષ્ફળ જતા મુદ્દો કોર્ટમાં, જાણો ચુકાદો

PC: twitter.com

કેસની વિગત મુજબ જગદીશભાઇ રામાણી (રહે. અઠવાલાઇન્સ, સુરત)(ફરીયાદીએ Assune Clinic (ઠેકાણું-આરકેન્ટ, ધોડદોડ સુરત)) (સામાવાળાનં. 1) તેમજ ડો. અભિષેક પિલાની) (સામાવાળાનં. 2) વિરુધ્ધ એડવોકેટ શ્રેયસ દેસાઇ પ્રાચી દેસાઇ ઇશાન દેસાઇ મારફત સુરત જિલ્લા ગ્રાહક કમિશનમાં દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદીએ પોતાના માથાના વાળ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે સામાવાળાનં. (1) કલીનીકની મુલાકાત લીધી હતી. સામાવાળા તરફે ફરિયાદીના માથાની પરિસ્થિતી જોઇ ચકાસીને ફરિયાદીને Full Head Hair Transplant કરી આપવામાં આપશે. તેમજ નવા ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા વાળની 25 વર્ષ માટેની ગેરેન્ટી પણ આપવામાં આવી હતી. સામાવાળા તરફે થયેલી આ પ્રકારની લોભામણી વાર્તાથી પ્રેરાયને ફરિયાદી સામાવાળાની હેરની ટ્રાન્સપ્લાન્ટની સેવા મેળવવાનું નકકી કર્યું હતું અને તે માટે સામાવાળાના માગ્યા મુજબની રૂ.1,50,000 ફી એડવાન્સમાં ચુકવી દીધી હતી. પરંતુ ત્યારબાદ ફરિયાદી સામાવાળાના કલીનીકમાં હેર ટ્રાન્સપ્લાન્ટ માટે 10 વાર ગયા હતા. પરંતુ 10 સીટીંગ પછી પણ ફરિયાદીને માથે Full Head Hair Transplant થઇ શકયું ન હતું. માંડ 10 ટકાથી 20 ટકા જેટલું જ હેર ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું હતું ફરિયાદીને ત્યારબાદ સુરત કલીનીકમાંથી મુંબઇ ક્લીનીક પર પણ મોકલવામાં આવ્યા હતા.

પરંતુ પરિસ્થિતિ સુધરી ન હતી. જેથી સામાવાળા દ્વારા છેલ્લે ફરિયાદીને પેચ લગાડવાની સલાહ અપાઇ હતી પરંતુ તેથી પણ ફરિયાદીનો હેતુ સિધ્ધ થઇ શકયો ન હતો. આમ, ધણા સીટીંગ પછી અને મુંબઇ સુધીના ધકકા ખાધા પછી હેર ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંપૂર્ણ પણે નિષ્ફળ ગઇ હતી. પરંતુ સામાવાળાએ ફરિયાદીને ફીનું રીફંડ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી ફરિયાદીએ ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરવાની ફરજ પડી હતી.

ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇ, પ્રાચી દેસાઇ અને ઇશાન દેસાઇ દ્વારા રજુઆતો થઇ હતી કે ગ્રાહક સમક્ષ Full Head Hair Transplant થઇ જશે અને ટ્રાન્સપ્લાન્ટ થયેલા વાળની 25 વર્ષની ગેરન્ટી રહેશે. એ પ્રકારની લોભામણી રજૂઆતો કરીને ફરિયાદી ગ્રાહક પાસે રૂ. 1,50,000 મેળવી લીધા બાદ સામાવાળા હેર ટ્રાન્સપ્લાન્ટ કરી આપવામાં નિષ્ફળ બેદરકાર રહેલા અને તેમની સેવામાં ક્ષતિ થયેલી જેથી સામાવાળાઓ ફરિયાદીને રૂ. 1,50,000 વ્યાજ સહીત પરત ચૂકવવા જવાબદાર છે.
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મેઇન) ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી. મેખિયા અને સભ્ય તીર્થેશ મહેતાએ કરેલ હુકમમાં ફરિયાદીની રૂ. 1,50,000 વાર્ષિક 9% ના વ્યાજસહિત તેમજ કાનૂની કાર્યવાહીમાં રૂ. 2,૦૦૦ સહિત ચુવી આપવાનો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp