સુરતમાં હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ નિષ્ફળ જતા મુદ્દો કોર્ટમાં, જાણો ચુકાદો

કેસની વિગત મુજબ જગદીશભાઇ રામાણી (રહે. અઠવાલાઇન્સ, સુરત)(ફરીયાદીએ Assune Clinic (ઠેકાણું-આરકેન્ટ, ધોડદોડ સુરત)) (સામાવાળાનં. 1) તેમજ ડો. અભિષેક પિલાની) (સામાવાળાનં. 2) વિરુધ્ધ એડવોકેટ શ્રેયસ દેસાઇ પ્રાચી દેસાઇ ઇશાન દેસાઇ મારફત સુરત જિલ્લા ગ્રાહક કમિશનમાં દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદીએ પોતાના માથાના વાળ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે સામાવાળાનં. (1) કલીનીકની મુલાકાત લીધી હતી. સામાવાળા તરફે ફરિયાદીના માથાની પરિસ્થિતી જોઇ ચકાસીને ફરિયાદીને Full Head Hair Transplant કરી આપવામાં આપશે. તેમજ નવા ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા વાળની 25 વર્ષ માટેની ગેરેન્ટી પણ આપવામાં આવી હતી. સામાવાળા તરફે થયેલી આ પ્રકારની લોભામણી વાર્તાથી પ્રેરાયને ફરિયાદી સામાવાળાની હેરની ટ્રાન્સપ્લાન્ટની સેવા મેળવવાનું નકકી કર્યું હતું અને તે માટે સામાવાળાના માગ્યા મુજબની રૂ.1,50,000 ફી એડવાન્સમાં ચુકવી દીધી હતી. પરંતુ ત્યારબાદ ફરિયાદી સામાવાળાના કલીનીકમાં હેર ટ્રાન્સપ્લાન્ટ માટે 10 વાર ગયા હતા. પરંતુ 10 સીટીંગ પછી પણ ફરિયાદીને માથે Full Head Hair Transplant થઇ શકયું ન હતું. માંડ 10 ટકાથી 20 ટકા જેટલું જ હેર ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું હતું ફરિયાદીને ત્યારબાદ સુરત કલીનીકમાંથી મુંબઇ ક્લીનીક પર પણ મોકલવામાં આવ્યા હતા.

પરંતુ પરિસ્થિતિ સુધરી ન હતી. જેથી સામાવાળા દ્વારા છેલ્લે ફરિયાદીને પેચ લગાડવાની સલાહ અપાઇ હતી પરંતુ તેથી પણ ફરિયાદીનો હેતુ સિધ્ધ થઇ શકયો ન હતો. આમ, ધણા સીટીંગ પછી અને મુંબઇ સુધીના ધકકા ખાધા પછી હેર ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંપૂર્ણ પણે નિષ્ફળ ગઇ હતી. પરંતુ સામાવાળાએ ફરિયાદીને ફીનું રીફંડ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી ફરિયાદીએ ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરવાની ફરજ પડી હતી.

ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇ, પ્રાચી દેસાઇ અને ઇશાન દેસાઇ દ્વારા રજુઆતો થઇ હતી કે ગ્રાહક સમક્ષ Full Head Hair Transplant થઇ જશે અને ટ્રાન્સપ્લાન્ટ થયેલા વાળની 25 વર્ષની ગેરન્ટી રહેશે. એ પ્રકારની લોભામણી રજૂઆતો કરીને ફરિયાદી ગ્રાહક પાસે રૂ. 1,50,000 મેળવી લીધા બાદ સામાવાળા હેર ટ્રાન્સપ્લાન્ટ કરી આપવામાં નિષ્ફળ બેદરકાર રહેલા અને તેમની સેવામાં ક્ષતિ થયેલી જેથી સામાવાળાઓ ફરિયાદીને રૂ. 1,50,000 વ્યાજ સહીત પરત ચૂકવવા જવાબદાર છે.
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મેઇન) ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી. મેખિયા અને સભ્ય તીર્થેશ મહેતાએ કરેલ હુકમમાં ફરિયાદીની રૂ. 1,50,000 વાર્ષિક 9% ના વ્યાજસહિત તેમજ કાનૂની કાર્યવાહીમાં રૂ. 2,૦૦૦ સહિત ચુવી આપવાનો આદેશ આપ્યો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.