ગુજરાતના હેલ્થ મિનિસ્ટરે જણાવ્યું રાજ્યમાં H3N2 વાયરસના કેટલા કેસ છે

રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ભારે પવન, માવઠું અને કરા પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ થતા રોગચાળો વકર્યો છે. શરદી, ઉધરસ, તાવ સહિત અન્ય બીમારીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ કોરોના અને નવા વાયરસ H3N2, H3N1નું સંક્રમણ વધતા કેસમાં વધારો થયો છે. ત્યાર હવે આ મામલે વિધાનસભામાં આરોગ્ય મંત્રીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

મળતી માહિતી મુજબ, ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલ નવા H3N2 વાયરસના કારણે એકપણ મોત નોંધાયુ નથી. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં સરકારને સવાલ કર્યો હતો કે, રાજ્યમાં હાલ H3N2ના કારણે શરદી, તાવ, ઝાડા અને ઉલટીના કેસમાં વધારો થયો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે જવાબ આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, હાલ રાજ્યમાં H3N2 વાયરસના કુલ 3 કેસ નોંધાયા છે. આ વાયરસના કારણે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિનું મૃત્યું થયું નથી. તેમણે માહિતી આપી કે, રાજ્યમાં 1 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી સિઝનલ ફ્લૂના 83 કેસ નોંધાયા છે, જેમાં માત્ર એક દર્દીનું મોત નિપજ્યું છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે, 10 માર્ચ, 2023 સુધીમાં રાજ્યમાં H1N1ના 77 અને H3N2ના 3 કેસ નોંધાયા છે. તેમણે ગૃહમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિ ભાળ મેળવી તૈયારી કરવામાં આવી રહી છે. તમામ સરકારી હોસ્પિટલમાં દવાના સ્ટોક, તબીબોની હાજરી, વોર્ડની સંખ્યામાં વધારો સહિતના મુદ્દાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે આરોગ્ય મંત્રીએ સાવચેતીના ભાગરૂપે સ્વબચાવ માટે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે અને લોકોએ ખોટો ભય ફેલાવવાની જરૂર નથી તેમ જણાવ્યું છે. જણાવી દઈએ કે, ભાવનગરમાં ત્યાર સુધીમાં H3N2ના 6 કેસ જ્યારે મહેસાણાની એક યુવતી H3N2 ઈનફ્લુએન્ઝા પોઝિટિવ આવી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.