અમદાવાદમાં 50 વર્ષોમાં પહેલીવાર ફેબ્રુઆરીમાં હિટવેવની આગાહી

રાજ્યમાં મોટાભાગના શહેરોમાં છેલ્લા અમુક દિવસથી મહત્તમ તાપમાનમાં વધારો થયો છે, જેના કારણે લોકો ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. કેટલાક શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી જ્યારે સુરતનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું છે.

ઉપરાંત, રાજકોટમાં મહત્તમ તાપમાન 39.8 પર, સુરેન્દ્રનગરનું 39 ડિગ્રી અને અમરેલીનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું છે. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવાર અને મંગળવારના રોજ બે દિવસ હિટવેવની શક્યતા છે. આ સાથે ફેબ્રુઆરીમાં પહેલીવાર ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યના કેટલાક શહેરોમાં હાલ લોકો બેવડી ઋતુનો પણ અનુભવ કરી રહ્યા છે. સવારે અને રાતે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જોકે હવે, આગામી બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં આગામી બે દિવસ હિટવેવની શક્યતા છે. વિભાગે જણાવ્યું કે, અમદાવાદમાં મધ્ય અને લો લેવલ પર એન્ટિ સાયક્લોનિક સરક્યુલેશન રચાયું હતું. રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા છે. 24 કલાક તાપમાન યથાવત રહેશે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી રહેવાના અનુમાન છે. જ્યારે ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડીગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે 50 વર્ષમાં પહેલીવાર ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હિટવેવની આગાહી કરવામા આવી છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.