38 લાખ પર ઈટાલિયાએ કહ્યું- પોલીસ સી.આર.પાટીલની ચાર આંખની શરમ રાખ્યા વગર...

ડમી કાંડમાં ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની 21 તારીખે ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ તેના સાળાની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી 38 લાખ રૂપિયા રોકડા મળ્યા હોવાની વાત પોલીસ કહી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, યુવરાજસિંહના સાળા પાસેથી પોલીસે 38 લાખ કબજે કર્યા એવા ન્યુઝ આવે છે. પોલીસને માત્ર 38 લાખ જ મળ્યા? જો પોલીસે પૈસા કબજે જ કરવા હોય તો પોલીસ સી.આર.પાટીલની ચાર આંખની શરમ રાખ્યા વગર AAPમાંથી ભાજપમાં ગયેલા 12 કોર્પોરેટરની આજે તપાસ કરે તો વ્યક્તિ દીઠ ઓછામાં ઓછાં દોઢ કરોડ રોકડા લેખે અંદાજે 20 કરોડ મળી શકે છે. (નોંધ: આ અંદાજે 20 કરોડ વાળી એક ખાનગી બાતમી છે, આની જાણ ગૃહમંત્રીને થાય નહિ એનું ધ્યાન રાખજો નહિતર કાયદો કાયદાનું કામ કરશે અને રૂપિયા પકડાઈ જશે)

ડમીકાંડમાં લેવાયેલા 38 લાખ યુવરાજ સિંહના સાળાના મિત્રના ઘરેથી પોલીસે કર્યા જપ્ત

ડમીકાંડને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. ડમીકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા છે. કાનભા ગોહિલના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી હવે કાનભા ગોહિલના મિત્રના ઘરમાંથી ડમીકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા જપ્ત થયા છે ગઇ કાલે ભાવનગરના ડમીકાંડમાં અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ઘનશ્યામ લાંઘવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી. તોડકાંડમાં આ બંનેના યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અગાઉ યુવરાજસિંહ અને તેના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. હવે ઘનશ્યામ લાંઘવા અને બિપિન ત્રિવેદીની પણ ધરપકડ કરવામાં આવી છે એટલે કુલ 4 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે.

ડમીકાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ સિવાય શિવુભા, યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલ, ઘનશ્યામ લાંઘવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઇ છે.

ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગા સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી મામલે ખુલાસો કર્યો છે. યુવરાજસિંહે પ્રકાશ દવેનું નામ ડમી તરીકે જાહેર ન કરવા બદલ કુલ 70 લાખ રૂપિયાની માગ કરી હતી. ત્યારબાદ 45 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઇ હતી. તે માટે યુવરાજસિંહના સાળા શિવુભાની ઓફિસે પ્રકાશ સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં યુવરાજસિંહના સાળા સહિત અન્ય કેટલાક લોકો પણ ઉપસ્થિત હતા.

ડીલ મુજબ પ્રકાશ દવેએ ઘનશ્યામ લાંઘવાને 45 લાખ રૂપિયા આપ્યા હતા. ઘનશ્યામ લાંઘવાએ યુવરાજસિંહ વતી આ રૂપિયા લીધા હોવાની જાણકારી મળી છે. ડમીકાંડમાં યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજ સિંહ 29 એપ્રિલ સાંજે 5:00 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.