ઈસુદાન ગઢવીને AAP ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવાયા, ગોપાલ-અલ્પેશને આ જવાબદારી સોપાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે આમ આદમી પાર્ટીને 5 સીટો જીતાવનારા ગોપાલ ઈટાલિયાને પાર્ટીએ મોટી જવાબદારી આપી છે. ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના સહ પ્રભારી અને નેશનલ જોઇન્ટ સેક્રેટરીની જવાબદારી આપવામાં આવી છે. આ સાથે જ અન્ય 7 નેતાઓને પણ વિવિધ જવાબદારી આપવામાં આવી છે.

ગોપાલ ઈટાલિયાની જગ્યાએ ઈસુદાન ગઢવીને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવાયા છે. આ સિવાય અલ્પેશ કથીરિયાને સુરત ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવાયા છે. ચૈતર વસાવાને સાઉથ ગુજરાત ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવાયા છે.

ડૉ. રમેશ પટેલને નોર્થ ગુજરાત ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવાયા છે. જગમલ વાળાને સૌરાષ્ટ્ર ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવાયા છે. જેવેલ વસરાને સેન્ટ્રલ ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવાયા છે.

આ સિવાય કૈલાશ ગઢવીને કચ્છ ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવવાની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી શેર કરી હતી. ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવાતા તેમના પર મોટી જવાબદારી આવી છે, કારણ કે ટૂંક સમયમાં પંચાયતની ચૂંટણી પણ આવવાની છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે તેઓ આના માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકે, તે માટે તેમને સમય મળી રહે એટલે અત્યારે આ અંગે જાહેરાત કરી દેવામાં આવી છે.

થોડા દિવસ પહેલા જ ઈસુદાન ગઢવી ખંભાળીયાની મુલાકાતે ગયા હતા, જ્યાં હાર થવા છતા તેઓ લોકોનો આભાર માનવા પહોંચ્યા હતા, જેમણે તેમને વોટ આપ્યા હતા. આના ફોટો ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે, આજે ખંભાળિયાના વાડીનાર, ભરાણા, સોઢા તરઘડી સહિતના ગામોમાં લોકોનો ચૂંટણીમાં ખુબ સહયોગ આપવા બદલ આભાર માન્યો અને આગામી સમયમાં બનતા કામો કરાવવાની ખાતરી પણ આપી.

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા મોર્ચા તરીકે એન્ટ્રી લીધી હતી અને પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને જવાબદારી સોંપવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાને કતારગામ વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપવામાં આવી હતી.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હતા.

આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 5 બેઠકો તો પણ મળી , પરંતુ તેના જે સ્ટાર નેતાઓ હતા ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા અને જેમને મુખ્યમંત્રી તરીકેનો ચહેરો જાહેર કરવામાં આવ્યા હતા તેવા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ ચૂંટણીમાં હારી ગયા હતા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.