અમદાવાદીઓ માટે શિરડી જવું બનશે સરળ, ફ્લાઈટ થશે શરૂ, જાણો કેટલું હશે ભાડું

અમદાવાદથી શિરડી જવું ભાવી ભક્તો માટે સરળ બનશે. અમદાવાદથી નાસિકની ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. 3 હજાર ભાડામાં લોકો આ મુસાફરી કરી શકશે. ગુજરાતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિરડી જતા હોય છે. માર્ચ આસપાસના સમયગાળામાં આ ફ્લાઈટ શરુ કરવામાં આવશે. ફ્લાઈટ શરૂ થવાથી શિરડી સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગો કે રોડ-વે શોધવાથી મુક્તિ મળશે અને સમયની પણ બચત થશે. અમદાવાદથી અલાયન્સ એરની ફ્લાઈટ થોડા સમય પહેલા જ બંધ કરી દેવામાં આવી છે પરંતુ આ સુવિધાથી લોકો માટે મુસાફરી સરળ બનશે.

આ ફ્લાઈટ માટે અત્યારથી જ બુકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. માર્ચથી શરૂ થતા ઉનાળાના શિડ્યુલમાં અમદાવાદથી નાસિકનીવચ્ચે આ સુવિધા માટે એરલાઈન્સ સિસ્ટમ પર બુકિંગ લોકો કરાવી શકે છે. એરલાઇન કંપનીઓ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને નવા રૂટ પર ફ્લાઇટ્સ શરૂ કરી રહી છે. અગાઉ ટૂંકા ગાળા માટે સંચાલન કર્યા પછી કેટલીક ફ્લાઇટ્સ બંધ કરવાની ફરજ પડી હતી. હવે અમદાવાદથી નાસિક ફ્લાઈટ શરુ થતા લોકોને રાહત મળશે.

- ફ્લાઈટનો ટેકઓફ ટાઈમ નાસિકથી બપોરે 3.45 વાગ્યેનો રહેશે સાંજે 5.25 વાગ્યે ફ્લાઈટ અમદાવાદ પહોંચશે.

- અમદાવાદ જનાર મુસાફરો માટે સાંજે 5.50 વાગ્યે ફ્લાઇટ 7.15 વાગ્યે નાસિક પહોંચશે.

3000 વન વેનું ભાડું રહેશે

ઇન્ડિગોએ અમદાવાદથી નાસિક સુધીની ફ્લાઇટ લગભગ રૂ. 3000ના વન વે ભાડા સાથે શરૂ કરી છે. આ એરક્રાફ્ટ 73 સીટરનું રહેશે. જે માટે અત્યારથી જ બુકિંગ શરુ થઈ ગયા છે.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.