અંબાજી મોહનથાળ-ચીકી વિવાદમાં નીતિન પટેલની એન્ટ્રી, જાણો શું કહ્યું

 છેલ્લાં 10 દિવસથી મા અંબાના અંબાજી મંદિરમાં પ્રસાદને લઇને શરૂ થયેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લેતો. ગુજરાત સરકારે અંબાજી ટ્રસ્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યાના એક દિવસ પછી  રાજ્યના પૂર્વ નાયબ મંત્રી અને ભાજપના કદાવર નેતા નિતિન પટેલે પણ આ વિવાદમાં ઝુકાવ્યું છે અને તેમના એક નિવેદનને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. નિતિન પટેલની એન્ટ્રી પછી શું અંબાજીમાં ફરી પ્રસાદ  તરીકે મોહનથાળ મળતો થશે?  નિતિન પટેલે શાતં થઇ ગયેલા મુદ્દાને ફરી ગરમ કરી દીધો છે.

અંબાજી મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો હતો, પરંતુ સંચાલકોએ મોહનથાળને બદલે ચીકીને પ્રસાદ તરીકે આપવાનું શરૂ કરતા ભારે વિવાદ ઉભો થયો હતો. એ પછી શનિવારે ગુજરાત સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે સ્પષ્ટ કહ્યુ હતું કે, અંબાજી મંદિરમાં ચીકી જ પ્રસાદ તરીકે અપાશે, મોહનથાળ નહીં. હવે જયારે સરકારના પ્રવકતાએ નિવેદન આપી દીધું છે એ પછી નિતિન પટેલે એમ કહ્યુ કે, આ મામલો  શ્રધ્ધાળુઓ અને મંદિર ટ્રસ્ટ વચ્ચેનો છે, પરંતુ મને આશા છે કે સરકાર કોઇ યોગ્ય સમાધાન કાઢશે. નિતિન પટેલના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે. સરકારે તો જાહેર કરી દીધું છે, પછી નિતિન પટેલ સમાધાનની વાત કેમ કરી રહ્યા છે?

નિતિન પટેલના આ નિવેદનને કારણે ભાજપના કેટલાંક નેતાઓમાં ખુશી જોવા મળી છે, કારણકે તેઓનું માનવું છે કે અંબાજી મંદિરના પ્રસાદ વિવાદને કારણે ભાજપને  નુકશાન થઇ રહ્યું છે. ભાજપના નેતાઓ જાણે છે કે ભલે નિતિન પટેલ અત્યારે સરકારનો હિસ્સો નથી, પરંતુ તેમનું કદ આજે પણ ઉંચુ છે. એટલે લોકો પણ એવું માની રહ્યા છે કે શું અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી મળતો થશે?

બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં 1લી માર્ચથી પ્રસાદ તરીકે મોહનથાળને બદલે ચીકીનું વિતરણ શરૂ થયું હતું જેનો અનેક લોકોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસે પણ આ વિવાદમાં ઝુકાવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદે પણ ટ્રસ્ટના આ નિર્ણયની આકરી ટીકા કરી હતી. વિશ્વ હિંદુ પરિષદે તો 13 માર્ચે 3 હજાર મંદિરોમાં મોહનથાળ વિતરણ કરવાની જાહેરાત કરી છે અને સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું છે.

સરકારની જાહેરાત પછી નિતિન પટેલના નિવેદન પછી સરકાર પોતાના નિર્ણયથી પીછેહઠ કરે છે કે નિર્ણય યથાવત રાખે છે તે આગામી દિવસોમાં ખબર પડશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.