ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખગીરીના દેહ વિલય પછી મહંત પદ માટે ખેંચતાણ શરૂ થઇ છે. આ દરમિયાન ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ હરીગીરી બાપુ સામે મોટો આરોપ મુકીને ખળભળાટ મચાવી દીધો છે.
ભૂતનાથ મંદિર અને દત્ત શિખરના મહંત મહેશગીરીએ પત્રકારો સામે એક લેટરનો ભાંડાફોડ કર્યો હતો. આ લેટરમાં હરીગીરી બાપુએ ભવનાથ મંદિરના કાયમીં મહંત બની રહેવા માટે જે લોકોને લાંચ આપી હતી તે વાત જુના અખાડાના લેટર પેડ પર લખી હતી.