મોરબી દુર્ઘટનાઃ ઓરેવા કંપનીના MD જયસુખ પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી

ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. બ્રિજના મેન્ટેનન્સ ગ્રુપનું કામ ઓરેવા ગ્રુપ સંભાળતું હતું. જો કે, FIRમાં જયસુખ પટેલનું નામ નથી. આ મામલે ટૂંક સમયમાં જ ચાર્જશીટ રજૂ થઈ શકે છે. મોરબીની ઘટનામાં 30 ઓક્ટોબરની સાંજે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો. જેમાં 135થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા.

આ પુલ તાજેતરમાં નવીનીકરણ બાદ કાર્યરત કરવામાં આવ્યો હતો. જેનું સમારકામ ઓરેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી ઓરેવા ગ્રુપના માલિક પર અનેક સવાલો થઈ રહ્યા છે. કેમ કે, તેનું નામ FIRમાં ના હોવાથી લોકોમાં પણ ચર્ચા છે. કેમ કે, ટિકિટ કાપવાથી લઈને અન્ય નાના માણસોને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે બ્રિજનું મેન્ટેનન્સ કરી ઉદઘાટન કરનાર માલિક પોલીસ પહોંચથી દૂર છે. જો કે, FIRમાં નામ જ નથી.

જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં સંપૂર્ણ કોર્ટ કાર્યવાહી સાથે ચાર્જશીટ ફાઇલ કરવાની રહેશે. આથી આ કેસમાં ધરપકડ ટાળવા માટે જયસુખ પટેલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.આગામી દિવસોમાં આ અંગે સુનાવણી હાથ ધરાશે. વિશેષ તપાસ ટીમને તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે, મોરબી દૂર્ઘટના અંગે કાર્યવાહી કરતા ગુજરાત સરકારે હવે નગરપાલિકાને કારણદર્શક નોટીસ પાઠવી છે.

મોરબી ઝુલતા પુલના સમારકામની મંજુરી આપવા અને તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવાની મંજૂરી આપવામાં નગરપાલિકા દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવી હોવાની ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે કરેલી રજૂઆત શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.