સોમનાથ દાદાના દર્શન કરી મુકેશ અંબાણીએ મંદિરને આટલા રૂપિયા દાન આપ્યું

મહાશિવરાત્રીના પાવન પર્વે દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમનો દીકરો આકાશ અંબાણી ગુજરાત સોમનાથ દાદાના દર્શને આવ્યા હતા. તેમણે મંદિરમાં જ્યોતિર્લિંગનો રુદ્રાભિષેક પણ કર્યો હતો. આટલું જ નહીં મંદિરમાં પૂજા કર્યા બાદ મુકેશ અંબાણીએ સોમનાથ મંદિર ટ્રસ્ટને 1.51 કરોડનું દાન પણ આપ્યું હતું.

શિવરાત્રિના પાવન પર્વ પર મુકેશ અંબાણી સોમનાથ દર્શન માટે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીનાઆગમન પહેલા જ મંદિરના પરિસરમાં એક ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.

દેશ અને વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શિવરાત્રીના તહેવાર પર ગીર સોમનાથની મુલાકાત લીધી હતી જ્યાં મહાદેવજીના દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા. અંબાણી પરિવારના સભ્યો અવાર નવાર સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા હોય છે.

આજે શિવરાત્રિ હોવાથી વિશેષરુપે સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો દેશના વિવિધ ખૂણેથી દર્શન માટે પહોંચી રહ્યા છે. સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રુપાણી સોમનાથ દાદાના દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારે બપોરે શનિવારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સોમનાથ દર્શન માટે પ પહોંચ્યા હતા. મુકેશ અંબાણી શિવરાત્રીના પ્રસંગે સોમનાથ મહાદેવના વિશેષ દર્શન અને ઉપાસના માટે આવતા હોય છે. ગત વખતે પણ તેઓ સોમનાથ આવ્યા હતા. તેમનો પુત્ર આકાશ અંબાણી પણ તેની સાથે દાદાના દર્શન માટે આવ્યો હતો.

આજે સાંજે સોમનાથ ખાતે બિલ્વપૂજામાં પણ મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લીધો હતો. ખાસ કરીને આજના દિવસે વિશેષ મહત્વ ભગવાન મહાદેવનું હોય છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજે સોમનાથમાં યોજાઈ રહ્યા છે. શિવરાત્રી તહેવારને ધ્યાનમાં રાખી વિવિધ કાર્યક્રમો થશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.