પાવાગઢમાં આટલા દિવસ માટે ફરી રોપ-વે બંધ

પાવાગઢમાં મેન્ટેનન્સના કામ માટે પાંચ દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવશે. અગાઉ પવનની ગતિ તેજ થતા રોપ-વે બંધ રહ્યો હતો ત્યારે ફરી એકવાર રોપ-વે 16થી લઈને 21 જાન્યુઆરી દરમિયાન બંધ રાખવામાં આવશે. જેથી આ દિવસો દરમિયાન યાત્રિકો આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં.

પંચમહાલ જિલ્લાના પાવાગઢ મંદિર ખાતે આવતી કાલથી આ રોપ-વેની સેવા બંધ રહેશે. મેન્ટેનન્સની કામગિરીના કારણે આ સેવા બંધ રાખવામાં આવશે. 21 જાન્યુઆરી બાદ રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. પાવાગઢના દર્શન માટે રોપ-વેનો સતત ઉપયોગ થતો હોવાથી રોપ-વે કંપની વાર્ષિક અને અર્ધવાર્ષિક મેન્ટેનન્સ કરતી હોય છે ત્યારે આ કારણથી બંધ રાખવામાં આવશે.

આથી પાવાગઢ આવતા ભક્તોને મંદિરે પહોંચવા માટે આ કારણથી સીડીના સહારે મંદિર સુધી પહોંચવું પડશે. ખાસ કરીને બાળકોથી લઈને સિનિયર સિટીઝન માટે આ સેવા ખૂબ કામ આવે છે. જો કે ફરીથી 21 જાન્યુઆરી બાદ રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેનો રોપ-વે 5 જાન્યુઆરીએ ભારે પવનને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. બે દિવસથી સતત પવનને કારણે રોપ-વે મેનેજમેન્ટે પાવાગઢમાં રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, તે સમયે રોપ-વે સેવા થોડો સમય બંધ રહેતા મુસાફરો હેરાન થયા હતા.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.