પાવાગઢમાં આટલા દિવસ માટે ફરી રોપ-વે બંધ

પાવાગઢમાં મેન્ટેનન્સના કામ માટે પાંચ દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવશે. અગાઉ પવનની ગતિ તેજ થતા રોપ-વે બંધ રહ્યો હતો ત્યારે ફરી એકવાર રોપ-વે 16થી લઈને 21 જાન્યુઆરી દરમિયાન બંધ રાખવામાં આવશે. જેથી આ દિવસો દરમિયાન યાત્રિકો આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં.

પંચમહાલ જિલ્લાના પાવાગઢ મંદિર ખાતે આવતી કાલથી આ રોપ-વેની સેવા બંધ રહેશે. મેન્ટેનન્સની કામગિરીના કારણે આ સેવા બંધ રાખવામાં આવશે. 21 જાન્યુઆરી બાદ રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. પાવાગઢના દર્શન માટે રોપ-વેનો સતત ઉપયોગ થતો હોવાથી રોપ-વે કંપની વાર્ષિક અને અર્ધવાર્ષિક મેન્ટેનન્સ કરતી હોય છે ત્યારે આ કારણથી બંધ રાખવામાં આવશે.

આથી પાવાગઢ આવતા ભક્તોને મંદિરે પહોંચવા માટે આ કારણથી સીડીના સહારે મંદિર સુધી પહોંચવું પડશે. ખાસ કરીને બાળકોથી લઈને સિનિયર સિટીઝન માટે આ સેવા ખૂબ કામ આવે છે. જો કે ફરીથી 21 જાન્યુઆરી બાદ રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેનો રોપ-વે 5 જાન્યુઆરીએ ભારે પવનને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. બે દિવસથી સતત પવનને કારણે રોપ-વે મેનેજમેન્ટે પાવાગઢમાં રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, તે સમયે રોપ-વે સેવા થોડો સમય બંધ રહેતા મુસાફરો હેરાન થયા હતા.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.