પાવાગઢમાં આટલા દિવસ માટે ફરી રોપ-વે બંધ

PC: twitter.com

પાવાગઢમાં મેન્ટેનન્સના કામ માટે પાંચ દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવશે. અગાઉ પવનની ગતિ તેજ થતા રોપ-વે બંધ રહ્યો હતો ત્યારે ફરી એકવાર રોપ-વે 16થી લઈને 21 જાન્યુઆરી દરમિયાન બંધ રાખવામાં આવશે. જેથી આ દિવસો દરમિયાન યાત્રિકો આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં.

પંચમહાલ જિલ્લાના પાવાગઢ મંદિર ખાતે આવતી કાલથી આ રોપ-વેની સેવા બંધ રહેશે. મેન્ટેનન્સની કામગિરીના કારણે આ સેવા બંધ રાખવામાં આવશે. 21 જાન્યુઆરી બાદ રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. પાવાગઢના દર્શન માટે રોપ-વેનો સતત ઉપયોગ થતો હોવાથી રોપ-વે કંપની વાર્ષિક અને અર્ધવાર્ષિક મેન્ટેનન્સ કરતી હોય છે ત્યારે આ કારણથી બંધ રાખવામાં આવશે.

આથી પાવાગઢ આવતા ભક્તોને મંદિરે પહોંચવા માટે આ કારણથી સીડીના સહારે મંદિર સુધી પહોંચવું પડશે. ખાસ કરીને બાળકોથી લઈને સિનિયર સિટીઝન માટે આ સેવા ખૂબ કામ આવે છે. જો કે ફરીથી 21 જાન્યુઆરી બાદ રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેનો રોપ-વે 5 જાન્યુઆરીએ ભારે પવનને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. બે દિવસથી સતત પવનને કારણે રોપ-વે મેનેજમેન્ટે પાવાગઢમાં રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, તે સમયે રોપ-વે સેવા થોડો સમય બંધ રહેતા મુસાફરો હેરાન થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp